SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૩] જૈનધર્મના ભક્તને જગતની કોઈ લાલચ કે જગતની કોઈ પ્રતિકૂળતા ધર્મથી ડગાવી શકતી નથી. વીતરાગી જૈનધર્મના ભક્ત સમયગ્દષ્ટિ જીવ એવા નિ:શંક અને નિર્ભય હોય છે કે, ત્રણલોક ખળભળી જાય એવો ભયંકર વજપાત થાય તો પણ તેઓ પોતાના સ્વભાવથી ટ્યુત થતા નથી. બૌદ્ધ (૨) : સાંભળી લ્યો, મહારાણીજી! તમારે ક્ષણિકવાદ અંગીકાર કરવો જ પડશે. નહિતર અમે મહારાજાના કાન ભંભેરશું અને તમારે અપમાનિત થઈને આ રાજપાટ પણ છોડવા પડશે; માટે હજી પણ માની જાઓ, અને બૌદ્ધધર્મ સ્વીકારી લ્યો. ચેલણાઃ અરે, મારા વહાલા જૈનધર્મ પાસે જગતના કોઈ માન અપમાનની મને દરકાર નથી. લાખ-લાખ પ્રતિકૂળતાનો ભય આપીને પણ તમે મને મારા ધર્મથી નહિ ડગાવી શકો... અમારા ધર્મમાં અમે નિ:શંક છીએ, ને જગતથી અને નિર્ભય છીએ. સાંભળો“ સમ્યકત્વવંત જીવો નિઃશંકિત તેથી છે નિર્ભય અને, છે સસ ભય પ્રવિમુક્ત જેથી તેથી તે નિ:શંક છે.” અભયકુમાર: વળી સાંભળો છોને વિવિધવ્યાધિઓ શરીરમાં આવી ઘર કરીને રહે, છોને મળેલી રાજસંપદા આ ક્ષણે છૂટી પડે! Please inform us of any errors on [email protected]
SR No.008262
Book TitleMaharani chelna
Original Sutra AuthorN/A
AuthorHiralal Jain
PublisherMahavir Nirman Mahotsava Prakashan
Publication Year1995
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size421 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy