SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ કિલશામૃત ભાગ-૫ કો’ક છોકરાનું નહોતું આવ્યું ? સોની... સોની ! સોનીનું આવ્યું હતું, નહિ? સોનીના છોકરા હશે, સોનીનો બાપ ક્યાંક બીજે ચાલ્યો ગયો હશે. એમાં સોનાના (દાગીના) આવ્યા હશે ઈ ચોરાય ગયા હતા. દસ હજારનું હોય કે (એટલું) હશે. બે જુવાન છોકરા મૂંઝાઈ ગયા, બન્નેએ ઝેર પીધું ! બાપને શું થયું હશે ?) એક તો ત્યાંને ત્યાં મરી ગયો હતો, એકને ઇસ્પીતાલ લઈ ગયા હતા. છાપામાં આવ્યું હતું. કો'કે વાત કરી હતી, આપણે ક્યાં (છાપું વાંચીએ છીએ ?) આહાહા...! અહીં તો કહે છે કે, એથી અનંતગણી પ્રતિકૂળતા સાતમી નરકમાં છે પણ સમ્યક્દષ્ટિનો સ્વભાવ નિર્ભય થઈ ગયો છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા! “ નિર્મિત સ્વભાવથી ભયરહિતપણું હોવાને લીધે. ભાવાર્થ આમ છે કે – સમ્યક્દૃષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ છે...” જોયું ? પેલો (મૂળ) સ્વભાવ છે ઈ તો નિર્ભય (છે) પણ આ તો સમ્યદૃષ્ટિનો પોતાનો નિર્ભય સ્વભાવ (છે). સ્વભાવિક નિર્ભય છે. આ..હા...હા..! દેડકો હોય અને સમકિતી હોય ! આટલું નાનું જનાવર છે તોપણ એને વાઘ ને સિંહ ને સર્પો ભાળે (તોપણ નિર્ભય છે). બહાર જંગલમાં તિર્યંચમાં (એવા) સમકિતી હોય છે. બહારમાં અસંખ્ય સમુદ્રમાં અસંખ્ય તિર્યંચો સમકિતી છે, આત્મજ્ઞાની છે. સિંહ, વાઘ, રિંછ સમકિતી છે. અસંખ્યગુણા તિર્યંચ મિથ્યાદષ્ટિ છે અને અસંખ્ય ( મિથ્યાષ્ટિમાં એક સમકિતી ! એવા એવા અસંખ્ય (સમ્યક્દૃષ્ટિ) છે ! આહા..હા..! પેલા દેડકા સમકિતી (છે). અંદર નિર્ભય છે. આહા..હા...! મને કોઈ ગળી જશે, ખાઈ જશે એવો ભય નથી). એને કોણ ખાય અને ગળે ? જેને ખાય, ગળે એ તો નાશવાન ચીજ છે. મને કોણ ગળે અને કોણ) ખાય ? આહાહા...! એવો સમ્યક્રદૃષ્ટિનો સ્વભાવ (છે), એમ કહે છે. છે? “સમ્યગ્દષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ છે.” સમ્યક્દૃષ્ટિના પર્યાય-સ્વભાવની વાત છે), હોં ! વસ્તુ તો નિર્ભય (છે) એ જુદી વાત છે). આહા...હા..! તેથી સહજ જ અનેક પ્રકારના પરિષહ-ઉપસર્ગનો ભય નથી.” જોયું ? આહા...હા...! સ્વભાવિક જ તે નિર્ભય છે). આહા...હા...! અનુકૂળ-પ્રતિકૂળતાના પરિષહ અને ઉપસર્ગના સંબંધ વખતે પણ ઈ ભયરહિત છે. એને કંઈ ભય નથી. એવા ઉપસર્ગ આવે, વાઘના, મનુષ્યના, તિર્યંચના કે જ્યાં ઊભો હોય ત્યાં મોટી ભીંત હોય અને માથે પડે. (એ) અજીવનો પરિષહ (છે). ચાર પ્રકારના પરિષહ છે. ને ? દેવ, મનુષ્ય, તિર્યંચ અને અજીવ. માથે પથરા પડે. આહાહા...! કહે છે કે, એને એનો અંદર ભય નથી. હું તો અરૂપી શાશ્વત ચૈતન્ય મારું શરીર (છે) એને ઉપસર્ગ અને પરિષહ અડે કોણ ? આહા...હા..! આવી વસ્તુ ! અહીં તો (અજ્ઞાની કહે કે), સમકિત એટલે દેવ-ગુરુ સંબંધીની શ્રદ્ધાની વાત કરીને વાતને વીંખી નાખી. આહા..હા...! જેના અંતરાત્મામાં શાશ્વત વસ્તુ આનંદકંદ પ્રભુ ! જ્ઞાયક ચૈતન્યજ્યોત શાશ્વત હું છું એવું જેને ભાન થયું એવા) સમ્યફદૃષ્ટિનો સ્વભાવ નિર્ભય થઈ ગયો છે કહે છે. આહા...હા...!
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy