SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૫૪ ૧૩ આખા શરીરમાં ધ્રુજારો (થાય). અમારે અહીંયાં (એક ભાઈને) છે ને ? જુવાન માણસ છે, એને આખું શરીર ધ્રુજે છે. આહા...હા...! ઠીક હતું ત્યારે “ઇન્દોર’ શિક્ષણ શિબિરમાં ગયો હતો. “ઈન્દોરમાં શિક્ષણ શિબિર શીખવવા ગયો હતો. એવો છોકરો છે પણ હવે અશાતાનો ઉદય એવો આવ્યો કે, આમ... આમ થયા જ કરે. આમ પડ્યો રહે, આમ જ્યાં કરે ત્યાં થઈ રહ્યું ! હાથે કોળિયો લઈ શકે નહિ. આહા..હા... અહીં હતો ને, અહીં લાવ્યા હતા. એવા રોગ, અશાતાના ઉદય આવે... આહા...હા...! છતાં... ઈ કહે છે, જુઓ ! અશાતાના રોગ, શોક,....” બધી પ્રતિકૂળતા થઈ જાય. મા ન રહે, બાયડી ન રહે, બાપ ન રહે, મકાન ન રહે. આહાહા..! “દારિદ્ર” એક રોટલો મળવો મુશ્કેલ પડે એવી સ્થિતિમાં આવી જાય. સમ્યકુદૃષ્ટિ અશાતાના ઉદયે નરકમાં હોય છે, લ્યો ! આહા...હા....! તેંત્રીસ તેંત્રીસ સાગર સુધી જેને આહારનો કણ નહિ, પાણીનું બિંદુ નહિ પણ સમ્યકૂદષ્ટિ પોતે પોતાના જ્ઞાતાદષ્ટામાંથી ખસતા નથી ! સમજાણું કાંઈ ? આહા...હા...! ? “પરીષહ, ઉપસર્ગ ઈત્યાદિ અનિષ્ટ સામગ્રી હોય છે, તેને ભોગવતાં...” ભોગવતાં (એવી) ભાષા છે. સામગ્રીને કંઈ ભોગવી શકતો નથી પણ એના તરફનું લક્ષ જાય અને જરી રાગ થાય એને ભોગવે છે એમ કહેવામાં આવે છે. આહાહા....! (તેને ભોગવતાં) “શુદ્ધસ્વરૂપઅનુભવથી ચૂકતો હશે... કોઈને એમ થાય કે, આવી સામગ્રીમાં – પ્રતિકૂળતામાં સમ્યગ્દર્શનથી મૂત થઈ જતો હશે. અનુકૂળ સામગ્રીમાં સમ્યક્રદૃષ્ટિ એના પ્રેમમાં સમ્યકથી ચૂત થતો હશે. નહિ, ત્રણકાળમાં ન થાય. આ.હા..! આહા...હા...! જેને નિત્યાનંદ પ્રભુ ભગવાન ! સહજાત્મસ્વરૂપ પ્રભુ ! એનો જેને અનુભવ થયો, દૃષ્ટિ થઈ, સમ્યફ થયું. આ.હાહા...! એ અશાતાના ઢગલા પડ્યા હોય તોપણ તે મૂંઝાતો નથી. એનું સમ્યગ્દર્શનનું શુદ્ધ પરિણમન છૂટતું નથી. અને શાતાના ઢગલા હોય આહાહા...! તો તેમાં તેને રંગ ચડતો નથી. આત્માના આનંદનો રંગ ચડી ગયો છે. સમજાણું કાંઈ ? આહા.હા...! જેવો અનુભવ છે તેવો જ રહે છે;” છે ? આ...હા...હા..! એ આત્માના સમ્યગ્દર્શન પામતાં આત્માના અતીન્દ્રિય આનંદના અનુભવમાં જેવો છે તેવો જ રહે છે. એ અનુકૂળપ્રતિકૂળ સંયોગમાં રહે છે ? એ અનુકૂળ હોય કે પ્રતિકૂળતાના ગંજ હોય... આહાહા...! રોટલો મળતો ન હોય, રોટલી ન હોય, સામું જોનાર કોઈ ન હોય અને શરીરમાં સોળ રોગ (હોય). સાતમી નરકના નારકીને તો જન્મતાં જ સોળ રોગ હોય). એટલે ત્યાં જાય ત્યારે) મિથ્યાદૃષ્ટિ છે પણ ત્યાં પાછા કોઈ સમકિત પામે છે. સાતમી નરકમાં ! જતાં મિથ્યાદૃષ્ટિ હોય પાછો નીકળતાં મિથ્યાષ્ટિ થઈ જાય. એવો શાસ્ત્રમાં લેખ છે. વચમાં સમ્યક્દૃષ્ટિ થાય, તેંત્રીસ સાગરના દુઃખમાં રહે પણ સ્વરૂપથી (સ્મૃત ન થાય). અહીં માણસ (એમ માને કે આપણને અનુકૂળતા હોય તો આપણે નિવૃત્તિ લઈએ,
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy