________________
શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ
(હરિગીત)
સંસારસાગર તા૨વા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુકહાન તું નાવિક મળ્યો. (અનુષ્ટુપ)
અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધ૨-વી૨-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના. (શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય ની૨ખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદ્દન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત)
હૈયું ‘સત્ સત્ જ્ઞાન જ્ઞાન' ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; ૫દ્રવ્ય નાતો તૂટે; - રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. (વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું, કરુણા અકા૨ણ સમુદ્ર ! તને નમું હું; હૈ જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું. (સ્ત્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુનિધિ સતના વાયુ નિત્યે વહંતી, વાણી ચિભૂર્તિ ! તારી ઉ૨-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું-મન૨થ મનનો; પૂરજો શક્તિશાળી!