SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પર Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશાકૃત ભાગ-૩ વઢવાણના મંગળભાઈ તે વકિલ ભાઈ કહેતા કે- રામજીભાઈ ! રામજીભાઈ એ વખતે એક જ વકિલ હતા.. એવી તો રામજીભાઈની છાપ. “તો પણ પુદ્ગલપિંડરૂપ જે જ્ઞાનાવરણાદિ કર્મ છે તેની સાથે તો વ્યાપ્યવ્યાપકરૂપ નથી, તેથી તેનું કર્તા નથી.” પોતાની પર્યાય શુદ્ધ કે અશુદ્ધ તેની સાથે વ્યાપ્ય-વ્યાપક છે. વ્યાપ્ય નામ અવસ્થા અને વ્યાપક નામ દ્રવ્ય. એ જે વ્યાપ્ય વ્યાપક છે. પુદ્ગલકર્મ આત્મા બાંધે છે એમ બિલકુલ નથી. તે સમયે કર્મવર્ગણાની પર્યાય કર્મમાં તેની થવાની લાયકાતથી તેની જન્મક્ષણે કર્મમાં ઉત્પન્ન થાય છે. એ પરમાણુમાં પણ કર્મ ઉત્પન્ન થવાની જન્મક્ષણ છે. અહીંયા વિકાર કર્યો માટે (કાર્માણ વર્ગણાને) કર્મપણે પરિણમવું પડ્યું તેમ નથી. માટે કર્મ વિકારનો કર્તા નથી. “મનસી” સમસ્તપણે આવો અર્થ છે.” પરમાર્થથી કહીએ છીએ, યથાર્થથી કહીએ છીએ, સમસ્તરૂપથી કહીએ છીએ કે- પરનો તો કર્તા છે જ નહીં. * * * (અનુષ્ટ્રપ) आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम्। परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।१७-६२।। ખંડાન્વય સહિત અર્થ:- “માત્મા જ્ઞાન રોતિ”(માત્મા) આત્મા અર્થાત્ ચેતનદ્રવ્ય (જ્ઞાન) ચેતનામાત્ર પરિણામ (વરાતિ) કરે છે. કેવો હોવાથી? સ્વયં જ્ઞાન” કારણ કે આત્મા પોતે ચેતના પરિણામમાત્ર સ્વરૂપ છે. “જ્ઞાનાત અન્યત્ રાતિ મ” (જ્ઞાનાત કન્યત) ચેતન પરિણામથી ભિન્ન જે અચેતન પુદ્ગલપરિણામરૂપ કર્મ તેને (મિ રીતિ) કરે છે શું? અર્થાત્ નથી કરતો, સર્વથા નથી કરતો. “લાત્મા પરમાવજી વેકર્તા મયં વ્યવહારિનાં મોદ:” (માત્મા) ચેતનદ્રવ્ય (પરમાવસ્ય વર્તા) જ્ઞાનાવરણાદિ કર્મને કરે છે (ય) એવું જાણપણું, એવું કહેવું (વ્યવદરિણાં મોદ:) મિથ્યાદેષ્ટિ જીવોનું અજ્ઞાન છે. ભાવાર્થ આમ છે કે કહેવામાં એમ આવે છે કે જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા જીવ છે, તે કહેવું પણ જુઠું છે. ૧૭-૬૨. કલશ - ૬ર : ઉપર પ્રવચન અહીં “પરભાવ” શબ્દ વિકાર ન લેવું પરંતુ પરદ્રવ્ય લેવું. એ અપેક્ષાએ અહીંયા કથન છે. “લાત્મા જ્ઞાન” આત્મા અર્થાત્ ચેતનદ્રવ્ય ચેતનામાત્ર પરિણામ કરે છે.” ચેતનામાત્ર પરિણામમાં કર્મચેતના કહો કે જ્ઞાનચેતના કહો તે બધા ચેતનાના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy