SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦ કલશામૃત ભાગ-૩ વીતરાગતા લાવવી છે ને? અશુદ્ધ પરિણતિ પરનું લક્ષ છોડી અને શુદ્ધ ચૈતન્ય દ્રવ્યનો આશ્રય કરવાથી વીતરાગતા ઉત્પન્ન થાય છે તે સર્વથા પ્રકારનું તાત્પર્ય છે. સ્વનો આશ્રય કરવો તે તાત્પર્ય છે. પ્રશ્ન:- અમને વીતરાગતા નથી જોઈતી અમને તો સમ્યગ્દર્શન જોઈએ? ઉત્તરઃ- સમ્યગ્દર્શન કહો કે વીતરાગતા કહો બધું એક જ છે. સરાગ સમ્યગ્દર્શન તે સમ્યગ્દર્શન છે જ નહીં. અત્યારે એ મોટી–ચર્ચા છે ને! સરાગ સમ્યકત્વ છે તે તો રાગના દોષની વાત બતાવી છે. સમકિત તો વીતરાગી જ હોય છે. જે અનંતાનુબંધીના અભાવથી મિથ્યાત્વના અભાવથી પ્રગટ થાય છે તે તો વીતરાગ પર્યાય છે. સમ્યગ્દર્શન તો વીતરાગ જ છે. સમજમાં આવ્યું? શ્રીરાજમલ્લજીનાં પંચાધ્યાયમાં તો ઘણો ઘણો ખુલાશો છે. શિષ્ય પ્રશ્ન કર્યો છે કેસરાગ સમકિત છે? ઉત્તર- સરાગ સમકિત છે જ નહીં. બિલકુલ નથી. સમ્યગ્દર્શન તે વીતરાગી પર્યાય છે. કેમ? “જિન સોહી આત્મા, અન્ય સોહી કર્મ, યહી વચનસે સમઝલે જિન પ્રવચનકા મર્મ.” જિન આત્મા વીતરાગ સ્વરૂપ છે. તેનો આશ્રય કરવાથી વીતરાગતા થાય છે. વીતરાગતા કહો કે સમ્યગ્દર્શન કહો એક જ વાત છે. જઘન્ય આશ્રય છે તો દર્શન-શાન થાય છે, વિશેષ આશ્રયે તો ચારિત્ર ઉત્પન્ન થાય છે, અને તેનાથી વિશેષ આશ્રય હોય તો કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. શ્રોતા:- ફરીવાર કહો. ઉત્તર:- એમ કહ્યું કે- ભગવાન પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ, શુદ્ધ ધ્રુવ પ્રભુ, પરમાત્મ સ્વરૂપ, જિન સ્વરૂપ તેનો થોડો આશ્રય કરવાથી– જઘન્ય આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. સ્વરૂપાચરણ આદિ વિશેષ આશ્રય કરવાથી ચારિત્ર થાય છે. અને તેનાથી વધારે ઉગ્ર આશ્રય કરવાથી કેવળજ્ઞાન થાય છે. વાત તો આવી છે. સમાજમાં આવ્યું. જે કાળે ચેતનારૂપ પરિણમે છે તે કાળે તે જ ચેતના સાથે વ્યાપ્ય- વ્યાપકરૂપ છે.” ભાષા જુઓ! અહીંયા વિકારી પરિણામ મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામ તેને વ્યાપ્ય અવસ્થા કહી અને આત્માને વ્યાપક અવસ્થાયી કહ્યું. અહીં એટલું સિદ્ધ કરવું છે. જ્યારે અંતર દેષ્ટિ સિદ્ધ કરવી હોય ત્યારે અંદરનો સ્વભાવ આવે છે. સ્વભાવમાં અનંત શક્તિ છે તેમાંથી એવી કોઈ શક્તિ નથી કે તે વિકારને કરે. બપોરનાં પ્રવચનમાં આપણે શક્તિ ચાલે છે. અનંત શક્તિમાંથી ૪૭ શક્તિ લીધી છે. તો કોઈ શક્તિ એવી નથી કે તે વિકારને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy