SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८ કલશામૃત ભાગ-૩ લીધું છે, તેમાં પર્યાય નહીં અને જ્ઞાનપ્રધાનમાં શેય અને જ્ઞાયક બેની પ્રતીતિ તે સમ્યગ્દર્શનન છે. અને તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગ્દર્શન તે પણ જ્ઞાનપ્રધાન સમ્યગ્દર્શન છે. કેમ કે તત્વાર્થમાં બે આવ્યા.. (દ્રવ્ય ને પર્યાય). તેમાં સંવર-નિર્જરા બધું જ આવી ગયું અને આ દૃષ્ટિપ્રધાન કથનમાં એકલો ધ્યેયભૂત ભૂતાર્થ ભગવાન આત્મા જે ત્રિકાળ છે તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. (તેમ આવ્યું.) અહીંયા કહે છે કે- શુદ્ધ પરિણમન હો કે અશુદ્ધ પરિણમન હો ત્યાં એટલું સિદ્ધ કરવું છે કે તે પોતાનું કાર્ય છે, પરનું કાર્ય આત્મા કરી શકતો નથી. જેટલા પ્રમાણમાં અજ્ઞાન અને રાગ-દ્વેષ કરે તેટલા પ્રમાણમાં જ્ઞાનાવરણીય મોહનીય આદિ કર્મ બંધન થાય છે, છતાં તે કર્મબંધનની પર્યાયનો કર્તા રાગ-દ્વેષની પર્યાય નહીં. અશુદ્ધ પરિણમન દ્રવ્યકર્મબંધની પર્યાયનો કર્તા નહીં. આહાહા! શુદ્ધ પરિણતિ કર્મ અને આત્મા તેનો કર્તા એટલે સિદ્ધ કરીને કહે છે કેશુદ્ધ પરિણતિમાં જે કર્મનો અભાવ થાય છે તેની અપેક્ષા શુદ્ધ પરિણતિને નથી એમ કહે છે. જેમ વિકારી પર્યાય પોતાના ષકારકથી સ્વતંત્ર પરિણમે છે તેમ મોક્ષમાર્ગની પર્યાય પણ પોતાના ષકારકથી સ્વતંત્ર પરિણમે છે. કહેવત છે કે- કર્મે માર્ગ આપ્યો. અહીં કહે છે- દર્શનમોહનો અભાવ થયો તેથી અહીં સમ્યગ્દર્શન થયું એવી અપેક્ષા ત્યાં છે જ નહીં. શ્રોતા:- તત્ત્વાર્થસૂત્રમાં તો એમ કહ્યું છે? ઉત્તર- ત્યાં તો જ્ઞાનપ્રધાન કથન છે- એ રીતે કહેલ છે. ત્યાં પણ દર્શનમોહનો અભાવ થયો માટે સમ્યગ્દર્શન થયું એમ કહેલ નથી. તત્ત્વાર્થસૂત્રમાં તો એમ કહ્યું કેચાર ઘાતિ કર્મના નાશથી કેવળજ્ઞાન થાય છે.. , તો એમ છે? શ્રોતા:- તેનું અધ્યયન અહીંયા થવું જોઈએ! ઉત્તર:- તેનું અધ્યયન થઈ ગયું છે. ત્યાં કઈ અપેક્ષાએ કહ્યું છે! ચારકર્મની જે કર્મરૂપ અવસ્થા તેનો નાશ થઈને અકર્મરૂપ અવસ્થા થાય છે. તેનો નાશ થઈને શું કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે? અહીંયા તો મિથ્યાત્વનો નાશ થઈને સમ્યકત્વ થાય છે એટલી અપેક્ષા ત્યે તો પણ વ્યવહાર છે. કર્મનો નાશ થઈને સમ્યગ્દર્શન થયું તેમ વાત નથી. મિથ્યાત્વનો નાશ થઈને સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું એ પણ વ્યયની અપેક્ષાએ કથન છે. મિથ્યાત્વનો નાશ થયો માટે સમ્યગ્દર્શનની પર્યાય થઈ છે તેમ છે જ નહીં. એ વ્યયને ઉત્પાદની અપેક્ષા છે નહીં. કઈ નથી કહ્યું છે, કેવો અર્થ છે તે પ્રમાણે નય લગાવવી જોઈએ. કર્તાકર્મ સિદ્ધ કરવું છે તો એ નયનું કથન છે. જીવદ્રવ્ય અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે, શુદ્ધ ચેતનારૂપ પરિણમે છે, તેથી જે કાળે જે ચેતનારૂપ પરિણમે છે તે કાળે તે જ ચેતના સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે.” ભાષા આ રીતે છે. અશુદ્ધપણે પરિણમે તો પરિણમન વ્યાપ્ય અને આત્મા વ્યાપક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy