SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૨ કલશામૃત ભાગ-૩ નથી; ઘણી શુદ્ધતા, તેનાથી ઘણી, તેનાથી ઘણી-એવા થોડાપણા-ઘણાપણારૂપ ભેદ છે. ભાવાર્થ આમ છે કે જેટલી શુદ્ધતા હોય છે તેટલી જ મોક્ષનું કારણ છે. જ્યારે સર્વથા શુદ્ધતા થાય છે ત્યારે સકળકર્મક્ષયલક્ષણ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. શા કારણથી? “સવા જ્ઞાનસ્થ ભવન દ્રવ્યસ્વમાવત્વતિ” (સવા) ત્રણે કાળે (જ્ઞાનસ્થ ભવનં) આવું છે જે શુદ્ધચેતનાપરિણમનરૂપ સ્વરૂપાચરણચારિત્ર તે આત્મદ્રવ્યનું નિજ સ્વરૂપ છે, શુભાશુભ ક્રિયાની માફક ઉપાધિરૂપ નથી, તેથી (દ્રવ્યqમાવત્વતિ) એક જીવદ્રવ્યસ્વરૂપ છે. ભાવાર્થ આમ છે કે જો ગુણગુણીરૂપ ભેદ કરીએ તો આવો ભેદ થાય છે કે જીવનો શુદ્ધપણું ગુણ; જો વસ્તુમાત્ર અનુભવ કરીએ તો આવો ભેદ પણ મટે છે, કેમ કે શુદ્ધપણું તથા જીવદ્રવ્ય વસ્તુઓ તો એક સત્તા છે. આવું શુદ્ધપણું મોક્ષકારણ છે, એના વિના જે કાંઈ ક્રિયારૂપ છે તે બધું બંધનું કારણ છે. ૭-૧૦૬. કલશ - ૧૦૬ : ઉપર પ્રવચન આ પુણ્ય-પાપ અધિકાર ચાલે છે. સંતો ગજબ કહે છે ને ! દિગમ્બર સંત અમૃતચંદ્રાચાર્યનો શું શ્લોક છે. “જ્ઞાન સ્વમવેન વૃત્ત તત સત મોક્ષદેતુ: પવ” (જ્ઞાન) શુદ્ધ વસ્તુમાત્ર” તેની (સ્વભાવેન) સ્વરૂપનિષ્પત્તિ”. પ્રભુ શુદ્ધ ચૈતન્ય છે તે પુણ્ય-પાપના ભાવથી રહિત છે. એવી જે શુદ્ધ વસ્તુ તે ભગવાન આત્મા પવિત્ર વીતરાગ સ્વરૂપ છે. આત્મા શુદ્ધ વસ્તુ છે, પુણ્ય-પાપથી રહિત છે એવી વસ્તુની નિષ્પત્તિ” અર્થાત્ તે વસ્તુની પરિણતિમાં પર્યાયમાં પ્રાપ્તિ. વીતરાગ સ્વરૂપી ભગવાન આત્મા તો વસ્તુએ શુદ્ધ છે. નવ તત્ત્વમાં જે પુણ્ય-પાપના ભાવ છે તેનાથી આત્મતત્ત્વ ભિન્ન છે. દયા-દાન-વ્રત-ભક્તિ આદિના પરિણામ એ તો પુણ્ય તત્ત્વમાં જાય છે. તે આત્મતત્ત્વમાં સમાતા નથી. હિંસા-જૂઠ-ચોરી ભોગ-વાસના તે પાપતત્ત્વમાં જાય છે. તે આત્મામાં તો નથી પરંતુ પુણ્યતત્ત્વમાં પણ તે નથી. આવા પુણ્ય-પાપના ભાવથી રહિત શુદ્ધ ચૈતન્યધન વસ્તુ જે આનંદદળ છે. તેની “સ્વરૂપ નિષ્પત્તિ” અર્થાત્ પર્યાયમાં તેની પ્રાપ્તિ થવી, શુદ્ધસ્વભાવની પર્યાયમાં પ્રાપ્તિ થવી તેનું નામ ધર્મ છે. સમજમાં આવ્યું? “તેની સ્વરૂપનિષ્પત્તિ, તેનાથી જે [વૃત્ત ] સ્વરૂપાચરણ ચારિત્ર [ તત્ તત્વ મોક્ષદેતુ:] તે જ, તે જ મોક્ષમાર્ગ છે; [ga] આ વાતમાં સંદેહ નથી.” પુણ્ય-પાપના વિકલ્પથી, રાગથી રહિત શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકપ્રભુ તેના સ્વરૂપનું આચરણ એવા આનંદકંદમાં આચરણ કરવું, આનંદસ્વરૂપમાં રમવું તેને સ્વરૂપાચરણચારિત્ર કહે છે. આ સ્વરૂપાચરણચારિત્ર ચોથા ગુણસ્થાને પ્રગટ થાય છે. આહાહા! ભગવાન! બાપુ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy