SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૯ ૨૪૭ ભગવાન આત્મા રાગરૂપ થયો જ નથી. રાગ (સ્વરૂપમાં) છે જ નહીં. તેણે માન્યું છે. તેથી અહીં મિથ્યાત્વ લીધું. પહેલાં મિથ્યાત્વ સહિતનો રાગ ઉત્પન્ન થાય છે. પ્રવચન નં. ૯૫ તા. ૧૫-૮-'૭૭ કળશટીકાનો ૯૯ મો કળશ છે. કર્તાકર્મ અધિકારનો છેલ્લો છે ને ! “તત જ્ઞાળ્યોતિ: તથા ક્વનિતન” (ત) એટલે વિદ્યમાન ભગવાન જ્ઞાનસ્વરૂપ. “તત’ વિદ્યમાન છે. ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ.. ચૈતન્યનું નૂર વિદ્યમાન છે. ચૈતન્ય પ્રકાશનું પૂર “તત’ વિદ્યમાન છે. એ વિદ્યમાન શુદ્ધ ચૈતન્ય પ્રકાશ એવો જે શુદ્ધ ચૈતન્યપ્રકાશ વિકાર રહિત છે. એક સમયની દૃષ્ટિ પણ છોડીને. તન અર્થાત્ વિદ્યમાન શુદ્ધ ચૈતન્ય ઉપર દૃષ્ટિ આપવાથી “જિતમ્' જેવો છે તેવો પ્રગટ થયો. કર્તાકર્મનો છેલ્લો શ્લોક છે ને! “વર્તા વાર્તા ભવતિ વર્ષ મffપ નૈવશ્લોકનું પહેલું પદ છે ને ! ભગવાન આત્મા રાગનો કર્તા ન હોવાથી તેમજ પોતાની દૃષ્ટિનો વિષય શુદ્ધ ચૈતન્યપ્રકાશ હોવાથી તે રાગનો કર્તા થતો નથી. બહુ ઝીણી વાતું છે. “જેવો હતો તેવો પ્રગટ થયો.” જ્ઞાયક ચૈતન્ય જે જ્ઞાતાદેણ છે તે રાગનું કર્તાપણું છોડી પોતાનું ચૈતન્ય તેજ સ્વરૂપ ભગવાન દેષ્ટિમાં પ્રગટ થયો. ચીજ તો ચૈતન્ય વિદ્યમાન હતો તે પ્રગટ થયો. કહે છે કે- ચીજ તો હતી પરંતુ તે રાગ અને વિકલ્પની વિકૃત અવસ્થા ઉપરની રુચિ અને કર્તાપણાને કારણે તે વિદ્યમાન ચીજને અવિદ્યમાન કરી દીધી હતી. સમજમાં આવ્યું? એ રાગ અને પુણ્ય આદિના પરિણામ તેનો કર્તા હતો તો તેની રચનામાં રાગાદિની રચના થતી હતી. અને તેની જ વિદ્યમાનતા ભાસતી હતી. પરંતુ અંદર રાગથી ભિન્ન ચૈતન્ય જ્યોતિની હૈયાતિ-વિદ્યમાનતા ભાસતી ન હતી. એ વિદ્યમાન ચૈતન્યમૂર્તિ ભગવાન શુદ્ધ દ્રવ્ય ગુણસ્વભાવ તેની દૃષ્ટિ થઈ અર્થાત્ તેનો સ્વીકાર-સત્કાર-આશ્રય લીધો તો એ જ્યોતિ પ્રગટ હતી તો ખરી પરંતુ પર્યાયમાં તેનો જ્વલિતમું પ્રકાશ થયો. સમ્યગ્દર્શન થતાં ચૈતન્યનું તેજ-પ્રકાશ પર્યાયમાં પ્રગટ થયો. આવી વાતો છે. તે કેવો છે? “વનં' સ્વરૂપથી ચલાયમાન થતો નથી” ભગવાન આત્મા પોતાની ધ્રુવતાના સ્વરૂપથી ચલાયમાન થતો નથી. પોતાનું જે ધ્રુવસ્વરૂપ ધ્રુવ સ્વરૂપ તેનાથી ક્યારેય ચલાયમાન થતો નથી. “વળી કેવો છે? “સત્ત: શ્રેજીમ' સત્તાની વ્યાખ્યા કરી કે “અસંખ્યાત પ્રદેશોમાં પ્રગટ છે.”(અજ્ઞાનમાં) રાગના કર્તાપણામાં રાગની વિદ્યમાનતા ભાસતી હતી. હવે એ રાગની રુચિ છોડીને જે ચૈતન્યપ્રકાશનો પૂર આત્મા તેની ઉપર દૃષ્ટિ પડતાં “મન્ત:” એ અસંખ્યાત પ્રદેશોમાં અનંત આનંદ પ્રગટ થાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy