SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates કલશામૃત ભાગ-૩ (ઇન્દ્રવજા ) ज्ञप्तिः करोतौ न हि भासतेऽन्तः ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः। ज्ञप्तिः करोतिश्च ततो विभिन्ने જ્ઞાતા ન ર્તૃતિ તત: સ્થિત વા૨-૧૭।। ' ખંડાન્વય સહિત અર્થ:- “ અન્ત: ” સૂક્ષ્મ દ્રવ્યસ્વરૂપ દૃષ્ટિથી “ જ્ઞપ્તિ: રોતાં ન હિ ભાસતે ” ( જ્ઞત્તિ: ) જ્ઞાનગુણ અને ( રોતÎ)મિથ્યાત્વ-રાગાદિરૂપ ચીકાશ એમનામાં (ન દ્દેિ ભાસતે) એકત્વપણું નથી. ભાવાર્થ આમ છે કે-સંસા૨અવસ્થા( રૂપ ) મિથ્યાર્દષ્ટિ જીવને જ્ઞાનગુણ પણ છે અને રાગાદિ ચીકાશ પણ છે; કર્મબંધ થાય છે તે રાગાદિ ચીકાશથી થાય છે, જ્ઞાનગુણના પરિણમનથી થતો નથી; એવું વસ્તુનું સ્વરૂપ છે. તથા “ જ્ઞસૌ ોતિ: અન્ત: ન માસà” ( જ્ઞૌ) જ્ઞાનગુણને વિષે (રોત્તિ:) અશુદ્ધ રાગાદિ પરિણમનનું (અન્ત: ન ભાખતે) અંતરંગમાં એકત્વપણું નથી. “તત: જ્ઞપ્તિ: રોતિ: = વિમિત્તે” (તત:) તે કારણથી ( જ્ઞપ્તિ:) જ્ઞાનગુણ અને (રોતિ:) અશુદ્ધપણું (વિમિત્તે) ભિન્ન ભિન્ન છે, એકરૂપ તો નથી. ભાવાર્થ આમ છે કે-જ્ઞાનગુણ અને અશુદ્ધપણું, દેખતાં તો મળેલાં જેવાં દેખાય છે, પરંતુ સ્વરૂપથી ભિન્ન ભિન્ન છે. વિવ૨ણજાણપણામાત્ર જ્ઞાનગુણ છે, તેમાં ગર્ભિત એ જ દેખાય છે; ચીકાશ તે રાગાદિ છે, તેથી અશુદ્ધપણું કહેવાય છે. “ તત: સ્થિત જ્ઞાતા ન ર્તા” (તત્ત: ) તે કારણથી (સ્થિતં) આવો સિદ્ધાન્ત નિષ્પન્ન થયો-( જ્ઞાતા) સમ્યગ્દષ્ટિ પુરુષ (ન હર્તા) રાગાદિ અશુદ્ધ પરિણામનો કર્તા હોતો નથી. ભાવાર્થ આમ છે કે-દ્રવ્યના સ્વભાવથી જ્ઞાનગુણ કર્તા નથી, અશુદ્ધપણું કર્તા છે; પરંતુ સમ્યગ્દષ્ટિને અશુદ્ધપણું નથી, તેથી સમ્યગ્દષ્ટિ કર્તા નથી. ૫૨-૯૭. ,, แ કલશ ૯૭ : ઉપર પ્રવચન અન્ત: સૂક્ષ્મ દ્રવ્યસ્વરૂપ દૃષ્ટિથી ” ભગવાન આત્મા ! સૂક્ષ્મદૃષ્ટિ સ્વભાવવાળો છે. જેમાં રાગની રુચિ છૂટી ગઈ છે, પાપની રુચિ છૂટી ગઈ છે, દેહ મારો છે તેવી રુચિ છૂટી ગઈ છે. તે બધી તો જડની ચીજ છે. આહાહા! લક્ષ્મી, કુંટુંબ, પરિવાર તે તો ૫૨ચીજ છે, તે મા૨ા છે તેવી રુચિ છૂટી ગઈ છે. આગળ.... રાગ મારો છે તેવી રુચિ છૂટી ગઈ છે અને હું પર્યાય જેટલો છું તેવી રુચિ પણ છૂટી ગઈ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy