SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૨ ૧૮૫ એ.. અહીંયા કહે છે. - “સમયસાર ચેતયે ” ભગવાન સંત મુનિ એમ પોકારે છે પ્રભુ તું એકવાર આત્માને ચેતયે નાથ! એને ધ્યાનનો વિષય બનાવ. તે તારા દિદાર કદી દેખ્યા નથી નાથ! રાગ, પુણ્ય અને એના ફળ ધૂળ એ બધાં દેખ્યાં છે. અંદર ચૈતન્ય નાથ બિરાજે છે એ વસ્તુ સ્વરૂપનો કદી અનુભવ કર્યો નહીં. એ અનુભવ તું કર પ્રભુ... તારી કાર્ય સિદ્ધિ ત્યાં છે. બાકી બધું ધૂળધાણી છે, ત્યાં શું કામ આવે? શેઠ આવ્યા છે તેમની પાસે પૈસા ઘણાં છે. તમારી પાસે પૈસા ઘણાં છે તો શું થયું? ત્યાં પૈસામાં શું થયું? પૈસા તો જડ છે- ધૂળ છે-અચેતન છે. તેમાં ચૈતન્ય ભગવાનનો અંશ આવ્યો નહીં. તે અચેતન છે. માટે દુઃખરૂપ અને તે આકુળતારૂપ છે. આહાહા! હું શુદ્ધ છું, અખંડ છું, અભેદ છું એવો વિકલ્પ ઉઠાવવો એ પણ અચેતન દુઃખરૂપ છે. પ્રશ્ન:- વિકલ્પ અચેતન છે? ઉત્તર:- અચેતન છે– જડ છે– અજીવ છે. તેને પુગલના પરિણામ કહેલ છે. ૭૫૭૬ ગાથામાં પહેલાં પુદ્ગલ પરિણામ કહ્યાં અને પછી પુદ્ગલ છે તેમ કહ્યું. એ ( વિકલ્પ) ભગવાન આત્મા નહીં, એ સમયસાર નહીં. અને જે “ચેતવે છે સમયસારનું ચેતવું તેમાં વિકલ્પ નહીં. આવી ચીજ છે ભાઈ પહેલાં જ્ઞાનમાં નિર્ધાર તો કર કે મારે જ્યાં જાવું છે તે વિકલ્પ રહિત ચીજ છે. એવો નિર્ધાર કરશે તો પ્રયોગ કરશે. પહેલાં નિર્ધારના ઠેકાણા નહીં તેમાં અંતર્મુખનો પ્રયોગ કયાંથી કરે! સમજમાં આવ્યું? “વેતયે અપારમ અનાદિ અનંત છે.” આત્મા અપાર.... આહાહા! અનાદિ અનંત પ્રભુ બિરાજે છે. જેની આદિ નહીં અને જેનો પાર નહીં. એવો આનંદકંદ નાથ અનંતગુણનો સાગર ભગવાન અનાદિ અનંત બિરાજે છે. “વળી કેવો છે? “ મ” શુદ્ધ સ્વરૂપ છે.” એકનો અર્થ કર્યો. એક એટલે શુદ્ધ. શુદ્ધ સ્વરૂપ. પર્યાયનો જ્યાં સમાવેશ નથી એવો શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા છે. વિકલ્પનો તો અવકાશ નથી પરંતુ પર્યાયેય શુદ્ધતાના સ્વરૂપમાં અંદર નથી. એ (પર્યાય) બહાર બહાર... ઉપર... ઉપર છે. શુદ્ધ સ્વરૂપ ઉપર પર્યાય અનેક છે. શુદ્ધ પર્યાય પણ અનેક છે. તે ઉપર ઉપર તરે છે. અંદર પ્રવેશતી નથી. આહા ! સમજમાં આવ્યું? આ પહેલાં કળશમાં આવી ગયું છે. પર્યાય ઉપર ઉપર તરે છે તે ધ્રુવમાં કેવી રીતે પેસે? સમજાય છે? શુદ્ધ નિર્મળ પર્યાય હોં! અનુભવ પર્યાય તે ધ્રુવમાં ઉપર તરે છે. તે અંદરમાં કેવી રીતે પેસે! પર્યાય તો પરિણમનરૂપ છે, જ્યારે ધ્રુવ તો એકરૂપ કૂટસ્થ ચીજ છે, તેમાં (પર્યાય) પ્રવેશ ક્યાંથી કરે. આવી વાતું છે. એક વાર તો ફડાક દઈને અહંકાર ઉડી જાય એવું છે. આવી અમારી પેઢી અને અમે આવા વેપાર કરનાર. અરે.. ભગવાન! તું શું કરે છે! કર્તા થઈને એ વિકલ્પ કરશ તેથી મિથ્યાષ્ટિ થાય છે. આહાહા! મિથ્યા નામ અસત્ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy