SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates કલશ-૭૯ ૧૨૭ જીવ કાર્ય નથી. ભગવાન કોઈનું કાર્ય નથી. કાર્ય શબ્દે દ્રવ્ય-ગુણ એકલા ન લેતાં દ્રવ્ય-ગુણ ને પર્યાય કોઈનું કાર્ય નથી. પોતાનું સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર કાર્ય છે અને તેનું કારણ વ્યવહારનયથી કારણ ૫૨માત્મા છે તેમ કહેવામાં આવે છે. પરંતુ વ્યવહારત્નત્રયના પરિણામ કાર્ય છે એમ છે નહીં. આહાહા ! આવી વાતું ! પછી એમ લાગે કે– (બીજો કોઈ માર્ગ હશે ?) બાપુ ! માર્ગ તો આ છે ભગવાન અરે...! જન્મ મરણના છેદ ક૨વાની વાત છે. આત્માને દૃષ્ટિમાં લેવો તે કોઈ અલૌકિક વાત છે. ચારિત્રની તો વાત શું કરવી ! આ અલૌકિક વાત છે. ચારિત્ર તો ૫રમેશ્વર પદને મેળવે છે. ચારિત્ર શું છે? આ વ્રત-તપાદિ તે કોઈ ચારિત્ર નથી. ભગવાન આત્માના આનંદ સ્વરૂપનું વેદન થયું તે વેદન કોઈનું કાર્ય નથી- એમ કહે છે. પછી એ આનંદમાં લીન થવું; અતીન્દ્રિય આનંદમાં લીન થઈને, અતીન્દ્રિય આનંદની વૃદ્ધિ થવી તેનું નામ ચારિત્ર છે. ચારિત્રની આવી વ્યાખ્યા... અહીંયા તો અત્યારે પાંચમહાવ્રતનાય ઠેકાણા નથી. મુનિવ્રતધારી, પંચમહાવ્ર તપાળી અનંતવા૨ નવમી ત્રૈવેયક ગયો. એવા (વ્રત ) તો અત્યારે છે પણ નહીં. શુક્લ લેશ્યાના ફળમાં નવમી ત્રૈવેયકમાં જાય.. પછી તે ભવી હો કે અભવી હો ! નવમી ત્રૈવેયક ગયો અને આ રીતે અનંત પુદ્ગલ પરાવર્તન કર્યા. કેટલી વાર ? અનંતવા૨ પંચ મહાવ્રતાદિ દ્રવ્યલિંગ ધારણ કર્યાં. પરંતુ રાગથી ભિન્ન ભગવાન આત્માને પોતાના સમ્યગ્દર્શનરૂપી કાર્યમાં કોઈની અપેક્ષા છે નહીં. અપેક્ષા હો તો ભગવાન કા૨ણ પરમાત્માની વ્યવહારે અપેક્ષા કહેવામાં આવે છે. સમજમાં આવ્યું ? તો અહીં કહે છે કે- જીવ કાર્ય નથી તેવા બીજા નયનો પક્ષ છે. તે પક્ષ દુઃખરૂપ છે તેને છોડી દે પ્રભુ ! જામનગરના દરબાર (રાજા) ગુજરી ગયા. જ્યોતિષીએ કહ્યું કે- તેનો સ્ત્રીથી મેળાપ થશે તો તેનું મૃત્યુ થઈ જશે. તો તેમણે સ્ત્રી સાથે લગ્ન ન કર્યા. તેમને તો પુત્ર નહતો. તેમણે કહ્યું કે– દેહ છૂટી જાય પછી રાજ છે તે મારા ભત્રીજાને આપવું. તેનું નામ હતું દિવજયસિંહજી. જ્યારે કાકા મૃત્યુ પામ્યા ત્યારે તેને તાર કર્યો કે– હવે તમે રાજા બન્યા છો. રાજા ન હતો ત્યારે તો એમ હતું કે- હું રાજા થવાનો છું... હું રાજા થવાનો છું. તેવો વિકલ્પ રહેતો હતો. પછી રાજા થઈ ગયો ત્યારે હું રાજા થવાનો છું તેવો વિકલ્પ ૨હે છે? સમજમાં આવ્યું ? તેમ અહીંયા લેવું. એ દિવિજયસિંહ રાજા હતા ત્યારે અમે ગયા હતા તેમની પાસે. અમે તેમના બંગલાની પાસે જંગલમાં દિશાએ જતા હતા. તેનો ( નગરની ) બહા૨ બંગલો છે. પછી દિર્ગવજયસિંહને ખબર પડી કે- મહારાજ અહીં જંગલમાં દિશાએ આવે છે. પછી તે આવ્યા... મહારાજ ! આપ મારા બંગલા પાસે આવો છો તો મારા બંગલામાં દર્શન દેવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy