SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૭૮ ૧૨૧ પોતાની પર્યાયની તાકાત છે. આ દ્રવ્ય છે તો દ્રવ્યનું જ્ઞાન થયું એમ પણ નથી. આહાહા ! પર્યાયની સ્વતંત્રતા એટલી છે. જેમ લોકાલોક છે તો કેવળજ્ઞાન છે તેમ છે નહીં. તેમ દ્રવ્ય છે તો પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન આવ્યું તેમ પણ છે નહીં. આહાહા! પર્યાયનું સામર્થ્ય એટલું છે કે- આખું દ્રવ્ય પૂર્ણાનંદના નાથનું જ્ઞાન ને શ્રદ્ધા કરી લ્ય છે... છતાં તે દ્રવ્યમાં પ્રવેશતી નથી. અને દ્રવ્ય પર્યાયમાં પ્રવેશ કરતું નથી. સમજમાં આવ્યું? આવો માર્ગ છે. પણ, બહુ સત્ય બહાર આવવા (છતાં) લોકોને સમજમાં ન આવ્યુંને? તેથી તો વિરોધ કરે છે. નિશ્ચયથી તો પોતાનો વિરોધ કરે છે. આહાહા! અહીંયા તો ભગવાન એમ કહે છે કે- જેને પર્યાયનાં કાર્યનો કારણ પરમાત્મા કહ્યો તે કારણ નથી એમ કહે છે. પર પદાર્થ હેતુ તો નહીં, પરંતુ પર્યાયનો ખરેખર હેતુ કારણ પરમાત્મા પણ નહીં. પર્યાયનું સ્વતંત્ર સત્ પર્યાયમાં છે, અને સત્ છે તે અહેતુક છે. તેમાં કોઈ હેતુ નથી. હેતુ છે તેમ આવ્યું ને? હેતુ છે તેમ વ્યવહાર કહેવામાં આવ્યું. નિશ્ચયથી હેતુ નથી. એવી વાત છે. એક સમયની પર્યાયમાં દ્રવ્યનું પૂર્ણજ્ઞાન થાય છે, છતાં પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. દ્રવ્ય ને પર્યાય સ્પર્શ કરતી નથી. પર્યાય દ્રવ્યને અડતી નથી. છતાં પર્યાયનો હેતુ દ્રવ્ય છે તો પર્યાય થઈ છે તેમ નથી. શ્રોતા- લક્ષ કરે છે ને! ઉત્તર- આહાહા ! એ પર્યાયનું સામર્થ્ય એટલું છે કે- તે આમ ઝૂકી જાય છે બસ. એટલું જ. ઝૂકે છે તે પણ પોતાના સામર્થ્યથી. સમજમાં આવ્યું? સૂક્ષ્મ વાત છે ભાઈ ! સમયસાર ૭ર ગાથામાં કહ્યુંને આત્મા દુઃખનું કારણે નહીં અને દુઃખનું કાર્ય પણ નહીં. તેમ છઠ્ઠા બોલમાં આવ્યું છે. છ બોલ કહ્યાં ને ! આસ્રવ જે વિકલ્પ, દયા-દાન-વ્રતભક્તિના ભાવ એ કારણ નહીં. મોક્ષમાર્ગની પર્યાયનું તે કારણ નહીં. કેમ કે તે દુઃખ છે. અને આનંદના પરિણામ સ્વના આશ્રયે થાય છે. તેથી આનંદના પરિણામનું કારણ દુઃખ- આસ્રવ નહીં અને દુઃખ આસ્રવની પર્યાય તે આત્માનું કાર્ય નહીં. સમજમાં આવ્યું? નિર્મળ સમ્યક પર્યાયે દ્રવ્ય સ્વભાવનો આશ્રય લીધો. આશ્રયનો અર્થ તે તરફ ઝૂકી બસ. જે નિર્મળ સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થઈ, જ્ઞાનની અને સ્વરૂપાચરણરૂપ આનંદની પર્યાય પ્રગટ થઈ તે પર્યાયમાં આસ્રવ કારણ નથી અને તે પર્યાય આસ્રવનું કાર્ય નથી. આહાહા ! તે પર્યાયમાં કારણ પરમાત્માને કારણ કહેવો તે પણ ભેદ અપેક્ષાએ કથન છે. જીવ હેતુ છે તે વ્યવહારનો પક્ષ છે. જીવ હેતુ નથી તે વાત સાચી છે પણ હેતુ નથી એવા વિકલ્પનો પક્ષ કરવો તે પણ દુઃખદાયક છે. પ્રશ્ન:- આ પક્ષની વાત છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy