SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦ કલશામૃત ભાગ-૩ ગાથામાં છે કે- શુભ અશુભ કાળે દ્રવ્ય તન્મય છે તે તો પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય તન્મય થાય છે. ત્રિકાળી આનંદકંદ પ્રભુ ચિદાનંદ આત્મા તેમાં કદી આંચ આવતી નથી. ત્રિકાળમાં વિકાર તો નથી પરંતુ અલ્પજ્ઞતા પણ નથી રહેતી. આહાહા ! આવો ભગવાન! નિગોદની પર્યાયમાં પણ આવો ભગવાન ત્રિકાળ શુદ્ધ છે. અને આ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચો ઇન્દ્રિય, પંચેન્દ્રિય એ બધું કોઈ આત્માનો સ્વભાવ નથી. તે તો ભેદ છે. અંતરમાં જે ચેતન છે તે એકલા જ્ઞાનના પૂર્ણ સ્વભાવથી ભરેલો છે. એને ન દેખતાં આ છાલા – શરીર એકેન્દ્રિય અને એક શરીરમાં અનંતજીવ અને એક એક જીવમાં કાર્પણ- તેજસ શરીર અને અક્ષરના અનંતમા ભાગે વિકાસ રહ્યો એ બધી પર્યાયની વાતો છે. દ્રવ્ય તો ભગવાન સ્વરૂપ પૂર્ણાનંદથી ભરેલો છે. સર્વે જીવો, સર્વ સ્વરૂપે, સર્વકાળમાં, સર્વક્ષેત્રમાં પરિપૂર્ણ ભર્યા પડ્યા છે. સમજમાં આવ્યું? એમ એક બંધ પર્યાયને અંગીકાર કરીને, દ્રવ્ય સ્વરૂપનો પક્ષ ન કરીએ, તો જીવ બંધાયો છે; એક પક્ષ આ રીતે છે; દ્રવ્યનો પક્ષ ન કરે તો પર્યાય અપેક્ષાએવ્યવહારનયથી બંધાયેલો છે. તેનો તો પ્રથમથી જ નિષેધ કરતા આવ્યા છીએ. એમ કહેછે અબદ્ધ-સ્કૃષ્ટમાં આવ્યું ને? એ પક્ષ તો આ પ્રકારે છે. બીજો પક્ષ “અપરણ્ય ન દ્રવ્યાર્થિકનયનો પક્ષ કરતાં તે બંધાયો નથી- તે દ્રવ્ય દૃષ્ટિની અપેક્ષાએ. અહીંયા જે ત્રિકાળી દ્રવ્ય ભગવાન પૂર્ણાનંદનો નાથ એ તો મુક્ત સ્વરૂપ જ છે. બંધાયો છે અને મુક્તની પર્યાય થશે તે દ્રવ્યમાં નથી. પર્યાયમાં રાગનું બંધન અને પર્યાયમાં રાગથી મુક્તિ એવું તો પર્યાયમાં છે. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ આનંદકંદ જ છે. આહાહા ! આ પણ દ્રવ્યાર્થિક નયનો પક્ષ હોવાથી વિકલ્પ થાય છે. જ્યારે દ્રવ્યનો આશ્રય કરવાથી અનુભવ થાય છે, પક્ષ કરવાથી વિકલ્પ થાય છે. આહાહા ! આવો માર્ગ! કેટલાકે તો સાંભળ્યો ય નહીં હોય. બહારની કળાકૂટમાં મરી ગયો. જિંદગી આમ ને આમ ચાલી જાય છે ભાઈ ! પ્રવચન નં. ૮૩ તા. ૧-૯-'૭૭ કળશ ૭૦નો ભાવાર્થ. “જીવદ્રવ્ય અનાદિ નિધન ચેતના લક્ષણ છે,”શું કહે છે? આ ભગવાન આત્મા જેવદ્રવ્ય અનાદિ અનંત છે. અના.. દિ.. નિધન. આદિ અને નિધન એટલે કે શરૂઆત નહીં, અંત નહીં. અનાદિ નિધન જેની આદિ નહીં અને જેનો અંત નહીં તેવું ચેતનલક્ષણ છે. “ચેતના” શબ્દ જ્ઞાન-દર્શન બન્ને આવી ગયા. (જીવદ્રવ્ય) ચેતના લક્ષણથી લક્ષિત થાય છે. અર્થાત્ ચેતના લક્ષણથી તેનો અનુભવ થાય છે. આ કર્તાકર્મ અધિકાર છે ને? આમ દ્રવ્યમાત્રનો પક્ષ કરતાં જીવદ્રવ્ય બંધાયું તો નથી,” ચેતના લક્ષણ હું છું એવા વિકલ્પનો પક્ષ કરતાં પણ ; એક અપેક્ષાએ બંધન છે જ નહીં. “સદા પોતાના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy