SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates કલશ-૫૫ પ્રવચન નં. ૭૦ કર્તા કર્મ અધિકારનો ૫૫મો શ્લોક ચાલે છે. “યવિ તદ્ ભૂતાર્થ પરિપ્રદેળ પુવારં વિનયં પ્રનેત્.” શું કહે છે? અનાદિ પંચ પરાવર્તન સંસારમાં જીવે અનંતકાળ વિતાવ્યો છે. પંચ પરાવર્તન સંસારમાં દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ તેમાં અનંતવા૨ પરાવર્તન કર્યું અનંત દ્રવ્યોમાં અનંતવા૨ પરાવર્તન કર્યું, અનંતક્ષેત્રમાં અનંતવાર પરાવર્તન કર્યું. કાળમાં અસંખ્યાત ચોવીસીમાં સમયે-સમયે દરેકવા૨ અનંત પરિવર્તન કર્યું. અને ભવમાં પણ અનંત પરિવર્તન કર્યું. અને શુભાશુભ ભાવમાં પણ અનંત પરિવર્તન કર્યું. ભાવ પણ પુદ્ગલ પરાવર્તનમાં અનંતવા૨ થયા-તેમાં શુભ અને અશુભ બન્ને રીતે થયાં. આ અનાદિ કાળથી એક સંતાનરૂપ ચાલ્યો આવે છે. તા. ૧૮-૮- ’૭૭ ૩૨૩ આહા... હા ! જે શુભાશુભ અનંતવાર કર્યા તે કોઈ ધર્મ નથી. અને તે ધર્મનું કા૨ણેય નથી. ધર્મનું કારણ કયાંથી શરૂ થાય છે તે વાત કરે છે. “ ભૂતાર્થ પરિપ્રદેળ ” તેમાં મહાસિદ્ધાંત છે. જે અગિયારમી ગાથામાં કહ્યું છેแ મુયથ્થમ્ અસ્તિવો વસ્તુ સન્માદ્ધિ દવ નીવો.” સત્યાર્થ ભૂતાર્થ એવો કા૨ણ પરમાત્મા એક સમયમાં ધ્રુવ છે તેને કા૨ણ ૫રમાત્મા કહે છે. ધ્રુવને કા૨ણ જીવ કહે છે. ધ્રુવને ભૂતાર્થ કહે છે. ધ્રુવને સત્યાર્થ કહે છે સમજમાં આવ્યું? એક સમયની પર્યાય જે ઉત્પાદ વ્યય રૂપ છે, “ ઉત્પાદ-વ્યય ધ્રુવ યુક્તમ્ સત્ ” તેમ છે ને ? તો ઉત્પાદ-વ્યય તો પર્યાયરૂપ છે. તે કાર્ય છે પણ તે કા૨ણ વસ્તુ નહીં. '' ,, ધ્રુવ જે ચીજ છે... ધ્રુવ, ભૂતાર્થ, સત્યાર્થ, સદેશ, એકરૂપ, સામાન્ય અભેદ છે. આહા... હા ! જે ચૈતન્યનો સર્વસ્વ સાર છે તે ધ્રુવને એક સમયની પર્યાય વિષય કરે છે. પર્યાય ૫૨ને વિષય કરે છે તેવું તો અનાદિકાળથી ચાલ્યું આવે છે. પર્યાય પર્યાયને વિષય કરે એવો તો સંસાર અનાદિનો છે. પ્રવચનસારમાં આવે છે “ પર્યાય મૂઢા પરસમયા. ” એક સમયની પર્યાયને જે પોતાની માને છે તે મૂઢ છે. તેની અનાદિ કાળની પર્યાયદૃષ્ટિ છે. અહીંયા કહે છે કે-એક સમયની પર્યાયની પાછળ ભૂતાર્થ ભગવાન, સત્યાર્થ પરમાત્મા જે ધ્રુવ સ્વરૂપે છે, જે અનંત શક્તિનો પિંડ છે. આપણે બપો૨ે પ્રવચનમાં શક્તિઓનો અધિકા૨ ચાલે છે. તે અનંત શક્તિનું એકરૂપ ધ્રુવ તે કા૨ણ પ૨માત્મા છે. રાજકોટમાં વારિયાએ પ્રશ્ન કર્યો તો તમે દ્રવ્યને કા૨ણ પ૨માત્મા કહો છો તો તે કારણ હોય તો કાર્ય આવવું જ જોઈએ ને ? તો અત્યાર સુધી સમ્યગ્દર્શનરૂપી કાર્ય તો આવ્યું નહીં તો કા૨ણ પ૨માત્મા છે કે નહીં ? મહારાજ ! આપ કહો છો કે કા૨ણ ૫૨માત્મા ત્રિકાળ છે. કા૨ણ ૫૨માત્માને ધ્રુવ કહો તેને ભૂતાર્થ કહો, સત્યાર્થ કહો કે કા૨ણ ૫૨માત્મા કહો તે એક સમયમાં Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy