SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-પ૧ ૨૭૭ કપડાં ઉતારે છે કે નહીં? તેથી તો મુનિ નગ્ન હોય છે. તેને કહ્યું; ભૈયા ! મુનિ કપડાં ઉતારતા નથી. કપડાં ઉતરવાં તે જડની પર્યાય છે તે આત્માનું કાર્ય નહીં. આહાહા! ભગવાન, તારી ચીજ બીજી છે નાથ ! આ કપડાં ઉતરવા તે આત્માનું કાર્ય છે અને આત્મા તેનો કર્તા છે એમ નથી. શ્રી પ્રવચનસાર ૧૦૨ ગાથામાં આવે છે કે એ સમયે કપડાં નીકળવાની અવસ્થા થવાની હતી. તે તેની જન્મક્ષણ હતી. તે સમયે કપડાં છૂટવાની જન્મક્ષણ તેની હતી, એ કપડાં આત્માએ ઉતાર્યા અર્થાત્ વિકલ્પ આવ્યો તો વસ્ત્ર ઉતર્યા તેથી વિકલ્પ કર્તા અને કપડાં ઉતરે તે કાર્ય એવું છે નહીં. આ કપડું અનંત પરમાણુંઓનું દળ છે. એટલા કપડાંમાં અનંત રજકણ છે. રજકણનો એક એક પોંઈન્ટ ટૂકડાં કરો અને જે નાનો પરમાણું રહે તેવા અનંત પરમાણું છે. જુઓ, તે ચીજ એવી થવાની હતી તો એ અવસ્થાનો કર્તા કોણ? તો કહે છે-આંગળી નહીં કપડું કર્તા છે. ભિન્ન ચીજની અવસ્થાનો કર્તા ભિન્ન દ્રવ્ય ત્રણકાળમાં થતો નથી. તમારી મુંબઈમાં આવું સાંભળવા મળે નહીં. ત્યાં તો જ્યાં ત્યાં રખડવાનું મળે. શ્રોતા:- સાંભળવાનું મળે પણ બીજું મળે...! ઉત્તર- વાત સાચી છે, બીજું મળે પણ... આવું સારું ન મળે. મુંબઈ એ તો એકલી મોહમયી નગરી. અરે પ્રભુ! શું કહે છે તે સાંભળતો ખરો નાથ ! માટી ઘટરૂપ થઈ તો ઘટ તેનું કાર્ય છે અને માટી કર્તા અને પિંડ અવસ્થાનો વ્યય થઈને ઘટરૂપ અવસ્થા થઈ તે ક્રિયા. પહેલાં માટી પિંડ રૂપ હતી, હવે તે અવસ્થા ઘટરૂપ થઈ તે ક્રિયા. તેથી માટી કર્તા ઘડો કર્મ અને પિંડ તે પલટતી ક્રિયા, તે ત્રણે એક ચીજ છે. કોઈ બહેન હોંશિયાર હોય તો તે સારા પાપડ બનાવે, વડી બનાવે, સેવ બનાવે. ઘઉની સેવ જે લાકડાંના સંચાથી પાડી અને ખાટલા ઉપર સૂકાવે. લોકો કહે છે કે જે હોંશિયાર બહેન હોય ને તે બહુ સારી સેવ બનાવી શકે છે. અહીં કહે છે –તે મૂઢ છે. પરની પર્યાયને કોણ કરે! બાઈઓ કાપડમાં સારું ભરત ભરે છે. ચાકળામાં કાચના ટૂકડાં જે આભલા રાખી અને પછી ચારે બાજુ દોરાથી પેક કરે. કારણ કે આભલું નીકળી ન જાય માટે. તે ક્રિયાને કોણ કરે છે? આહા.. હા! ભગવાન! તને ખબર નથી. તે પરમાણુંની પર્યાય તેનાથી થાય છે, તારાથી નહીં. આવું ઝીણું છે. બાપુ! મારગડા તો સૂક્ષ્મ છે. ધરમનો મારગ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! અનંતકાળથી તેણે કયારેય આ રસ્તો લીધો જ નથી. જ્યાં-ત્યાં મેં કર્યું. કર્યું એવા અભિમાનમાં જિંદગી ગાળી દીધી. તેવી જ રીતે સત્વરૂપ અવસ્થા “કર્તાકહેવાય છે. તે દ્રવ્યનો નિપજેલો પરિણામ કર્મ કહેવાય છે અને તે ક્રિયારૂપ થવું ક્રિયા કહેવાય છે.” કોઈ પણ પરમાણું કે આત્મા જે સત્ત્વ વસ્તુ છે તેને કર્તા કહેવામાં આવે છે. તે Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy