SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩) કલશામૃત ભાગ-૨ વિરુદ્ધ એટલે રહિત છે. દયા-દાન, વ્રત-ભક્તિ, શાસ્ત્રની શ્રદ્ધા આદિનો એ બધો રાગ તે વ્યવહાર છે. અહીં તો કહે છે-તે પુગલનો વિકાર અને સ્વભાવથી વિરુદ્ધ છે. સમ્યગ્દર્શન વિના પછી ઉપર ટપકે આ બધા વ્રત તપ કરે તે તો થોથાં છે. હવે કહે છે કે-કેવો છે પ્રભુ પોતે અંદર “નિર્વિકાર છે એવી શુદ્ધ ચિકૂપ વસ્તુ તે-રૂપ છે સર્વસ્વ જેનું એવી છે.” આ શરીર, વાણી, મન ને બાયડી, છોકરા, લક્ષ્મી આદિ એ તો કયાંય જુદા રહ્યા. એને ને તારે કાંઈ સંબંધ નથી. આહા.. હા ! અંદરમાં થતાં પુણ્ય ને પાપના ભાવ એ પુદ્ગલનો પાક છે તેમ જીવને કર્મબંધ પર્યાયરૂપ અવસ્થામાં રાગાદિભાવ રંગ છે, તે રંગને અંગીકાર નહીં કરતાં બાકી જે કાંઈ છે તે ચૈતન્યધાતુમાત્ર વસ્તુ છે.” આહા.. હા ! શું કહે છે-જેમ પાણીમાં કાદવનો રંગ છે એ કાંઈ પાણી નથી. તેમ જીવમાં જે રાગાદિભાવ છે એ રંગ છે. કાદવના રંગની પેઠે છે. તે રંગને અંગીકાર ન કરતાં, તેનો આદર ન કરતાં, કાદવના રંગને ન માનતાં પાણી છે તે તદ્ન જુદુ જ છે. તેમ આ પુણ્ય-પાપના ભાવને અંગીકાર ન કરતાં અંદર જે શુદ્ધ ચૈતન્યધાતુ છે તે રંગ વિનાની છે. આવું પ્રભુનું સ્વરૂપ છે. “આનું નામ શુદ્ધ સ્વરૂપ-અનુભવ, જાણવું, કે જે સમ્યગ્દષ્ટિને હોય છે.” આહા. હા! એ પુણ્ય ને-પાપના એટલે રાગના રંગને દૃષ્ટિમાં ન લેતાં અંદર શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તેને અંગીકાર કરતાં તેનો અનુભવ કરવો તે ધર્મ છે.. અને તેનું નામ સમકિત છે. હજુ તો આને સમકિત કહીએ. જેને આત્માની સત્ય દૃષ્ટિ પ્રગટી છે તેને શુદ્ધ ચૈતન્યધાતુનો અનુભવ હોય છે. આવી વાત છે. અત્યારે તો સાંભળવા મળવી મુશ્કેલ છે. આખી જિંદગી પેલામાં કાઢી હોય. એમાં વળી આવું નવું નીકળે ! શ્રોતા:- પણ, સાહેબ! આવું વારંવાર સમજે તો સરળ લાગે. ઉત્તર- એ વાત છેલ્લા કળશમાં કહેશે. ભેદજ્ઞાનનો અભ્યાસ વારંવાર કરવો એમ કહેશે. “જ્ઞાનવનના પતિને નાયિત્વએ રાગનો વિકલ્પ છે દયા-દાન, ભક્તિ આદિ તે પુદ્ગલનો રંગ છે. તે જીવનું સ્વરૂપ નહીં. જીવ તો ચૈતન્યમય છે. રાગના રંગથી ભેદ પાડીને તેનો અભ્યાસ કરતાં.. ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં તેને આત્મા પ્રાપ્ત થશે એમ કહે છે. એ અવિરુદ્ધ ભાવ છે. અમૃતચંદ્રદેવનો પાઠ છે. ચૈતન્યધાતુ એ તો એના જાણક... જાણક. જાણક. સ્વભાવને જ ધારી રાખેલ છે. તેણે રાગને પુણ્યને ધાર્યો નથી. જેમ સોનું છે તો રૂપી ધાતુ પરંતુ તેણે સોનાપણું ધારી રાખ્યું છે. તેમ ભગવાન આત્માએ ચૈતન્યને ધારી રાખ્યો છે. ચૈતન્યધાતુ તે તેની ચીજ છે. શુદ્ધ ચિતૂપમય વસ્તુનો અર્થ છે તે રૂપ છે. “મૂર્તિ:' સર્વસ્વ જેનું છે તેવી છે. શુદ્ધ ચૈતન્યમૂર્તિની વ્યાખ્યા કરી કે શુદ્ધ ચૈતન્યમય Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy