SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૪૩ ૧૧૩ મને કાંઈક થાય છે. જ્યાં આમ ખુરશીમાં બેઠા ત્યાં મરી ગયા. ડોકટર મરી જતા હશે? તેને ઇંજેકશન આપતાં આવડ્યું નહીં હોય! રાગથી મારો આત્મા ભિન્ન છે એવા સ્વરૂપનું ઇંજેકશન દેવું જોઈએ તો જીવ જીવતો રહે. આરે... આવી વાતું હવે! સાધારણ માણસને તો પાગલ જેવી વાત લાગે હોં! આહા..! ચૈતન્ય શું છે. વીતરાગતા શું છે. સમ્યગ્દર્શન શું છે... અને તે કેમ થાય તેની લોકોને ખબર નથી. આહા... હા! ચૈતન્યસ્વભાવથી ભરેલો ભગવાન ત્રિકાળી આત્મા અને રાગવિભાવ તેની એકત્વબુદ્ધિ કરીને તને ( આત્માનો) અનુભવ કેવી રીતે થાય? અરે રે! આ તને શું થયું? ભગવાન અંદર બિરાજે છે તે ચૈતન્યસ્વરૂપ અતીન્દ્રિય આનંદનો કંદ છે. એવા અતીન્દ્રિય આનંદના સાગરની સાથે રાગના એકત્વનો અનુભવ કરે છે તે અમને અચંબો છે. સમજમાં આવ્યું? હવે કહે છે કે-રાગની સાથે એકત્વબુદ્ધિ કરવાવાળો મોહ કેવો છે? “કેવો છે મોહ? નિરવઘિકવિમિત:” અનાદિ કાળથી સંતાનરૂપે પ્રસરી રહ્યો છે.” નિરવધિ એટલે અવધિ વિનાનું, જેની મર્યાદા નથી તેવું. આહાહા! અનાદિ કાળથી મોહ-મિથ્યાત્વભાવ સંતાનરૂપે પ્રસરી રહ્યો છે. આહા.. હા! નિગોદમાં હતો ત્યારે પણ મોહ હતો. પાણીમાં લીલી સેવાળ થાય છે નિગોદમાં તેણે ઘણો કાળ કાઢયો. જેમ સ્ત્રીનું પહેલાં પિયર કહેવું તેમ જીવનું પહેલું પિયર નિગોદ છે. આવો શાસ્ત્રમાં લેખ છે. આ લીલી સેવાળ ઉપર અનંતજીવ છે. આ લીલી ફુગની એક કટકીમાં ત્યાં અનંત. અનંત ભવ રહ્યો છે. ત્યારે તેમાં કોઈ શુભભાવથી મનુષ્ય થાય છે. આહાહા. બહુ કાળ તો ત્યાં નિગોદમાં રહ્યો હતો. અનાદિ કાળથી કહ્યું ને? ત્યાં સંતાનરૂપ મિથ્યાત્વનો ભાવ લેવો. આ રાગ, પુણ્યના ભાવ મારા છે તેવા મિથ્યાત્વના સંસ્કાર અનાદિથી ચાલ્યા આવે છે. આવી વાતું છે. જ્યાં (અજ્ઞાનની) નજર ન પહોંચે. અરે.. ભાઈ ! જ્યાં ચૈતન્યસ્વરૂપ ભગવાન બિરાજે છે ત્યાં તે કદી નજર કરી નથી. અને રાગની સાથે એકત્વ કરી અને ત્યાં નજર કરી છે. આ (મિથ્યાત્વનો) પ્રવાહ અનાદિથી ચાલ્યો આવે છે. હવે તો તેને છોડ! એમ કહે છે. અનાદિની રાગની એકત્વબુદ્ધિથી પ્રભુ તું દુઃખી છે. બહારમાં સ્વર્ગના દેવ જેટલી સગવડતા હો ! નવમી રૈવેયકનો દેવ હો ! બહારમાં સગવડતાનો પાર નહીં.. તો પણ રાગની એકત્વબુદ્ધિથી દુઃખી છે. રાગની એકત્વબુદ્ધિથી ત્યાં દેવગતિમાં રહે તોપણ મિથ્યાષ્ટિ છે. કેમકે અહીં મહાવ્રતના રાગને (આત્માનું) કાર્ય માનીને રહ્યો હતો. શુભભાવના ફળમાં તે સ્વર્ગે ગયો અને ત્યાં રાગની એકત્વબુદ્ધિથી મિથ્યાદેષ્ટિ જીવ દુઃખી છે. આ રીતે અનાદિથી ધારા સંતાનરૂપે મોહ પ્રગટી રહ્યો છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy