SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૯] આ વાત સાંભળીને ભવદેવ બ્રાહ્મણ વિચારવા લાગ્યો- “હું વિધાતા ! આ શું થયું? હવે હું શું કરું? જો દીક્ષા લઈ લઉં તો આજની પરણેલી સ્ત્રી શું કહેશે? અને તે પોતાનું જીવન કેવી રીતે વીતાવશે? લોકો મને શું કહેશે? અને જો ઘેર પાછો ચાલ્યો જાઉં તો ભાઈનું વચન નિષ્ફળ થશે. આ તેમની સાથેના મુનિઓ તેમની મશ્કરી કરશે કે આનો ભાઈ આટલો કાયર છે. એ આવા કાયર પુરુષને અહીં શા માટે લાવ્યા? ઇત્યાદિ.” આવો વિકલ્પ કરતા કરતા તેણે એવો નિશ્ચય કર્યો કે અત્યારે તો આ લોકો જેમ કહે તેમ જ કરી લઉં અને થોડા દિવસ મુનિ બનીને રહું. પછી જેવો અવસર મળશે કે તરત જ નાસીને ઘેર ચાલ્યો જઈશ, એમ વિચારીને જિનદીક્ષા લઈ લીધી. શ્રીગુરુએ તેને ભવ્ય જાણીને કે જો કે અત્યારે એના મનમાં ખોટું ધ્યાન વર્તે છે પણ પાછળથી એ મુનિનાયક થશે, તેને દીક્ષા આપી દીધી. પછી એ મુનિસંઘ કેટલાય દેશોમાં વિહાર કરતો અને અનંત ભવ્ય જીવોને સંબોધન કરતો, બાર વર્ષ પછી ફરીથી તે જ વનમાં આવ્યો. ત્યારે ભવદેવે મનમાં વિચાર કર્યો કે હવે જઈને પોતાની સ્ત્રીને જોવી જોઈએ. એટલે તે ગુરુને નમસ્કાર કરીને નગર તરફ ચાલ્યો. ઇર્યાપથનું પાલન કરતો કરતો તે જિનાલયમાં પહોંચ્યો, ભગવાનને વંદન કરીને બેઠો. એટલામાં ત્યાં એક આર્થિકાને જોઈ. પરસ્પર રત્નત્રયના કુશળ પૂછી શ્રીમુનિને આર્થિકાને પૂછવા લાગ્યા કે આ નગરમાં બે બ્રાહ્મણપુત્ર રહેતા હતા, તે બન્ને તો જિનદીક્ષા લઈને વિહાર કરી ગયા હતા, તેમાંથી નાનો છોકરો તો તરત પરણીને લાવેલી નવવધૂને છોડીને ચાલ્યો ગયો હતો, તો તે સ્ત્રીના શા હાલ થયા? આ સાંભળીને તે આર્થિકા મુનિનું ચિત્ત ચંચળ થતું જાણીને બોલી- હે સ્વામી! હું ધીરવીર! આપ આપનું ચિત્ત શાંત કરો. આપને ધન્ય છે કે આપે આવું ઉત્તમ વ્રત લીધું. આ કાર્ય કાયર Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008255
Book TitleJambuswami Charitra
Original Sutra AuthorN/A
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size380 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy