SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes જૈનધર્મની વાર્તાઓ : ૪૫ રાવણને ઓળખી ગયો હોય તેમ શાંત થઈને વિનયવાન સેવકની માફક ઊભો રહ્યો. રાવણ તેના ઉપર બેસીને મહેલ તરફ આવ્યો. ચારેકોર જય-જયકાર થઈ રહ્યો. રાવણને આ હાથી ખૂબ જ ગમી ગયો, તેથી તેને તે લંકા લઈ ગયો; લંકામાં તે હાથીની પ્રાપ્તિનો ઉત્સવ કરીને તેનું નામ ત્રિલોકમંડન રાખ્યું. રાવણના લાખો હાથીમાં તે પટ્ટ હાથી હતો. હવે, એકવાર રાવણ સીતાને ઉપાડી ગયો, રામલક્ષ્મણે લડાઈ કરીને રાવણને હરાવ્યો, ને સીતાને લઈને અયોધ્યા આવ્યા; ત્યારે લંકાથી તે ત્રિલોકમંડનહાથીને પણ પોતાની સાથે લેતા આવ્યા. રામ-લક્ષ્મણના ૪૨ લાખ હાથીમાં તે સૌથી મોટો હતો, ને તેનું ઘણું માન હતું. રામના ભાઈ ભરત અત્યંત વૈરાગી હતા; જેમ પારઘીથી હરણીયાં ભયભીત હોય, તેમ ભરતનું ચિત્ત સંસારના વિષયભોગોથી અત્યંત ભયભીત હતું; તે સંસારથી વિરક્ત થઈને મુનિ થવા માગતા હતા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008252
Book TitleJain Vartao 03
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1982
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy