SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ : જૈનધર્મની વાર્તાઓ [૪૧]. ૨૬ રાજકુમારોનો વૈરાગ્ય [મશ્કરી-કે-સત્ય?] યુવાન બંધુઓ, આ આપણા ધર્મના એક યુવાન રાજકુમારની કથા છે-કે જેણે પરણીને તરત વૈરાગ્યથી હસતાંહસતાં સંસારને છોડી દીધો. કયાં આજના સિનેમાના કુસંસ્કારો ! ને કયાં આપણા પુરાણોમાં ભરેલા આપણા મહાપુરુષોના ઉત્તમ વૈરાગ્ય-સંસ્કારો ! યુવાન રાજપુત્ર વજબાહુ અને તેની સાથે ર૬ રાજપુત્રોના વૈરાગ્યની આ ઉત્તમ કથા વાંચ્યા પછી પણ શું તમે સિનેમા જવાનું નહીં છોડી દો? અને વૈરાગ્યભાવનાથી ધર્મના અભ્યાસમાં નહીં લાગી જાઓ? જૈન-ધર્માત્માઓના અંતરમાં સંસાર પ્રત્યે કેટલી નિર્લેપતા હોય છે, તથા વૈરાગ્યનો કેવો પ્રવાહ તેમના અંતરમાં નિરંતર વહેતો હોય છે, તે દેખાડનારા વૈરાગ્યપ્રસંગો પુરાણોમાં ઠેરઠેર ભર્યા છે. સાંભળો, ભરયુવાન વયમાં તાજી જ પરણેલી મનોદયા રાણી વગેરેને ક્ષણમાં છોડીને વજબાહુ રાજકુમારે મુનિદીક્ષા લીધી; સાથે ર૬ રાજકુમારોએ અને મનોદયા રાણીએ પણ દીક્ષા લીધી; તેની આ વૈરાગ્યકથા વાંચીને હે યુવાનો! તમે પણ બહાદુર થઈ જાઓ, ને તમારા જીવનને વૈરાગ્યમય ધર્મસંસ્કારોથી શોભાવો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008252
Book TitleJain Vartao 03
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1982
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy