________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ ]
[ અધ્યાય : ૧ અનંતગુણ છે. ૭૬ પ્ર. જીવના પ્રતિજીવી ગુણ કયા કયા છે?
ઉ. અવ્યાબાધ, અવગાહ, અગુરુલઘુ, સૂક્ષ્મત્વ, નાસ્તિત્વ ઇત્યાદિ. ૭૭ પ્ર. ચેતના કોને કહે છે?
ઉ. જે શક્તિના કારણે પદાર્થોનો પ્રતિભાસ થાય તેને ચેતના કહે છે. ૭૮ પ્ર. ચેતનાના કેટલા ભેદ છે?
ઉ. બે છે. દર્શનચેતના, અને જ્ઞાનચેતના. ૭૯ પ્ર. દર્શનચેતના કોને કહે છે?
ઉ. જેમાં મહાસત્તાનો( સામાન્યનો) પ્રતિભાસ (નિરાકાર ઝલક ) હોય, તેને દર્શનચેતના કહે છે. ૮૦ પ્ર. મહાસત્તા કોને કહે છે?
ઉ. સમસ્ત પદાર્થોના અસ્તિત્વ ગુણને ગ્રહણ કરવાવાળી સત્તાને મહાસત્તા કહે છે. ૮૧ પ્ર. જ્ઞાનચેતના કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com