________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૫૯ ઉ. વ્યાતિપૂર્વક દષ્ટાન્તને કહેવું તેને ઉદાહરણ કહે છે. જેમકે “જ્યાં જ્યાં ધૂમાડો છે, ત્યાં ત્યાં અગ્નિ છે. જેમકે રસોડું. અને જ્યાં જ્યાં અગ્નિ નથી. ત્યાં ત્યાં ધૂમાડો પણ નથી. જેમકે “તળાવ'. ૬૨૦ પ્ર. દષ્ટાંત કોને કહે છે?
ઉ. જ્યાં સાધ્ય અને સાધનની મૌજૂદગી (હાજરી) અથવા ગેરમૌજૂદગી દેખાઈ જાય. જેમકે-રસોઈનું ઘર અથવા તળાવ. ૬૨૧ પ્ર. દષ્ટાન્તના કેટલા ભેદ છે?
ઉ. બે. અન્વયદષ્ટાન્ત અને વ્યતિરેક દષ્ટાન્ત. ૬૨૨ પ્ર. અન્વયદષ્ટાન્ત કોને કહે છે?
ઉ. જ્યાં સાધનની હયાતીમાં સાધ્યની હયાતી બતાવાય તેને. જેમકે રસોડામાં ધૂમાડાનો સદ્દભાવ (હાજરી) હોવાથી અગ્નિનો સદ્દભાવ બતાવ્યો. ૬૨૩ પ્ર. વ્યતિરેકદૃષ્ટાન્ત કોને કહે છે?
ઉ. જ્યાં સાધ્યની ગેરહાજરીમાં સાધનની ગેરહાજરી દેખાડાય તેને. જેમકે તળાવ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com