SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates [ ૧૫૭ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ૬૧૧ પ્ર. બાધિતવિષયહેત્વાભાસના કેટલા ભેદ છે ? ઉ. પ્રત્યક્ષબાધિત, અનુમાનબાધિત, આગમબાધિત, સ્વવચનાબાધિત, આદિ અનેક ભેદ છે. ૬૧૨ પ્ર. પ્રત્યક્ષબાધિત કોને કહે છે ? ઉ. જેના સાઘ્યમાં પ્રત્યક્ષથી બાધા આવે. જેમકે અગ્નિ ઠંડી છે. કેમકે એ દ્રવ્ય છે; ” આ હેતુ પ્રત્યક્ષબાધિત છે. ૬૧૩ પ્ર. અનુમાનબાધિત કોને કહે છે? 66 ઉ. જેના સાઘ્યમાં અનુમાનથી બાધા આવે. જેમકે ઘાસ આદિ કર્તાનું બનાવેલું છે, કેમકે એ કાર્ય છે; પરંતુ આમાં આ અનુમાનથી બાધા આવે છે કે ઘાસ આદિ કોઈનું બનાવેલું નથી, કેમકે તેનો બનાવવાવાળો શરીરધારી નથી. જે જે શરીરધારીનું બનાવેલું નથી, તે તે વસ્તુઓ કર્તાની બનાવેલી નથી. જેમકે-આકાશ. ૬૧૪ પ્ર. આગમબાધિત કોને કહે છે ? ઉ. શાસ્ત્રથી જેનું સાધ્ય બાધિત હોય તેને આગમબાધિત કહે છે. જેમકે પાપ સુખને આપવાવાળું છે; કેમકે તે કર્મ છે. જે જે કર્મ હોય છે, તે તે સુખના આપવાવાળાં હોય છે, જેમકે Please inform us of any errors on [email protected]
SR No.008250
Book TitleJain Siddhanta Praveshika
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size667 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy