________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
ચોથો અધ્યાય
૪૬૯ પ્ર. સંસારમાં સમસ્ત પ્રાણી સુખને ચાહે છે અને સુખનો જ ઉપાય કરે છે, પરંતુ સુખને પ્રાપ્ત કેમ થયા નથી ?
ઉ. સંસારી જીવ (ખરા) અસલી સુખનું સ્વરૂપ અને તેનો ઉપાય જાણતા નથી અને તેનું સાધન પણ કરતા નથી, તેથી ખરા સુખને પ્રાપ્ત થતા નથી. ૪૭૦ પ્ર. અસલી સુખનું સ્વરૂપ શું છે?
ઉ. આફ્લાદસ્વરૂપ જીવના અનુજીવી સુખ ગુણની શુદ્ધ દશાને અસલી સુખ કહે છે. એજ જીવનો ખાસ સ્વભાવ છે, પરંતુ સંસારી જીવોએ ભ્રમવશ શાતાવેદનીય કર્મના નિમિત્તે તે ખરા સુખના વૈભાવિક પરિણતિરૂપ શાતા પરિણામને જ સુખ માની રાખ્યું છે. ૪૭૧ પ્ર. સંસારી જીવને અસલી સુખ કેમ મળતું નથી ?
ઉ. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર ના કારણથી અસલી સુખ સંસારી જીવને મળતું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com