SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૩૩) ઉ. દરેક ગુણ પોતાના સ્વદ્રવ્યના ક્ષેત્રમાં નિરન્તર પોતાનું જ કાર્ય કરે છે, કદી પરનું કે બીજા ગુણનું કાર્ય કરે નહિ-એ દરેક ગુણના કાર્યક્ષેત્રની મર્યાદા છે. પ્ર. ૮૯-એવું કયું દ્રવ્ય છે કે જેમાં સામાન્ય ગુણો ન હોય? ઉ. એવું કોઈ દ્રવ્ય હોય નહિ; કેમકે દરેક દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ બન્ને પ્રકારના ગુણો હોય છે. પ્ર. ૯૦-દ્રવ્યમાં સામાન્ય ગુણ ન હોય તો શું દોષ? વિશેષ ગુણ ન હોય તો શું દોષ? ઉ. (૧) સામાન્ય ગુણ ન હોય તો દ્રવ્યપણું જ ન રહે. (૨) વિશેષ ગુણ ન હોય તો એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જાદુ ન જણાય, અર્થાત્ કોઈ દ્રવ્ય પર દ્રવ્યથી જુદું ઓળખી શકાય નહિ. પ્ર. ૯૧-સામાન્ય ગુણો કેટલા છે? ઉ. સામાન્ય ગુણો અનેક છે, પણ મુખ્યપણે જાણવા યોગ્ય છે છે- અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશત્વ. (૧) અસ્તિત્વ ગુણ પ્ર. ૯૨-અસ્તિત્વ ગુણને “ગુણની વ્યાખ્યામાં ઉતારો. ઉ. અસ્તિત્વ ગુણ છએ દ્રવ્યના પોતપોતાના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં રહે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy