SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૩) ઉ. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના ઉદયમાં જોડાવાથી જ કે સંયમભાવ થતો નથી. તો પણ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના અભાવથી, શ્રાવકનું નિશ્ચયદેશચારિત્ર થાય છે. તેને જ દેશવિરત નામનું પાંચમું ગુણસ્થાન કહે છે. પાંચમા આદિ (ઉપરના) સર્વ ગુણસ્થાનોમાં પણ નિશ્ચયસમ્યગ્દર્શન અને તેનું અવિનાભાવી સમ્યજ્ઞાન અવશ્ય હોય છે; એના વિના પાંચમાં છઠ્ઠી આદિ ગુણસ્થાનો થતાં નથી. પ્ર. ૨૧૫-(૬) પ્રમત્તવિરત નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. સંજ્વલન અને નોકષાયના તીવ્ર ઉદયમાં જોડાવાથી સંયમભાવ તથા મલજનક પ્રમાદ એ બન્ને એક સાથે થાય છે. (જો કે સંજ્વલન અને નોકષાયનો ઉદય ચારિત્રગુણના વિરોધમાં નિમિત્ત છે, તથાપિ પ્રત્યાખ્યાનાવરણ કષાયનો અભાવ થવાથી પ્રાદુર્ભત સકલ સંયમ છે, તેથી આ ગુણસ્થાનવર્ધી મુનિને પ્રમત્તવિરત અર્થાત્ ચિત્રલાચરણી કહે છે. પ્ર. ૨૧૬-(૭) અપ્રમત્તવિરત નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું છે ? ઉ. જીવના પુરુષાર્થથી સંજ્વલન અને નોકષાયનો મંદ ઉદય થાય છે અને ત્યારે પ્રમાદરહિત સંયમભાવ પ્રગટે છે, તે કારણથી આ ગુણસ્થાનવર્ધી મુનિને અપ્રમત્તવિરત કહે છે. પ્ર. ૨૧૭–અપ્રમત્તવિરત ગુણસ્થાનના કેટલા ભેદ છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy