SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates (૪૧) કાર્યમાં જાગે છે, અને જે વ્યવહા૨માં જાગૃત રહે છે તે પોતાના કાર્યમાં (આત્મકાર્યમાં ) સૂતો છે. વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો. k “નિશ્ચયનય તેને યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી, તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે. માટે તેનું શ્રદ્ધાન કરવું” “નિશ્ચયનું નિશ્ચયરૂપ તથા વ્યવહારનું વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું યોગ્ય છે, પણ એક જ નયનું શ્રદ્ધાન થતાં તો એકાંત મિથ્યાત્વ થાય છે. 22 66 “નિશ્ચયનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારનયવડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું.” (જીઓ, મોક્ષમાર્ગ પ્રકાશક ગુ. આવૃત્તિ-૫ાનું ૨૫૫-૫૬) પ્ર. ૮૨-વ્યવહારનય અને નિશ્ચયનયનું ફળ શું? ઉઃ “વિતરાગે કહેલો વ્યવહાર અશુભમાંથી બચાવી જીવને શુભભાવમાં લઈ જાય છે; જેનું દૃષ્ટાંત દ્રવ્યલિંગી મુનિ છે. તે ભગવાને કહેલાં વ્રત વગેરે નિરતિચાર પાળે છે અને તેથી શુભ ભાવવડે નવમી ત્રૈવેયકે જાય છે. પણ તેનો સંસાર ઊભો રહે છે; અને ભગવાને કહેલો નિશ્ચય, શુભ અને અશુભ-બન્નેથી બચાવી જીવને શુદ્ધ ભાવમાં-મોક્ષમાં લઈ જાય છે. તેનું દષ્ટાંત સમ્યગ્દષ્ટિ છે કે જે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy