SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates (૩૪ ) ૧. ભૂતનૈગમનયઃ ભૂતકાળની વાતને વર્તમાનકાળમાં આરોપણ કરી કહેવું તે ભૂતનૈગમનય છે. જેમકે:- આજે દિવાલીના દિવસે જ શ્રી મહાવીરભગવાન મોક્ષ ગયા. નિશ્ચયમોક્ષમાર્ગ નિર્વિકલ્પ છે, તે કાળે સવિકલ્પ મોક્ષમાર્ગ નથી તો તે સાધક કેમ થાય ? સમાધાનઃભૂતનૈગમનયે તે પરંપરાએ સાધક છે. (પરમાત્મપ્રકાશક પા. ૧૪૨) ૨. ભાવિનૈગમનય: ભવિષ્યકાળમાં થવાવાળી વાતને ભૂતકાળવત્ થયેલી કહેવી તે ભાવિનૈગમનય છે. જેમકે:- અરહંત ભગવાનને સિદ્ધ ભગવાન કહેવા. ૩. વર્તમાનનૈગમનય: કોઈ કાર્ય કરવાનું તો શરૂ કરી દીધું હોય, પણ તે કાર્ય કંઈક થયું-કંઈક ન થયું હોય તોપણ તે પૂર્ણ થયા સમાન કહેવું તે વર્તમાનનૈગમનય છે. જેમકે:- ભાત પકવવાના કાર્યનો તો આરંભ કરી દીધો પરંતુ હજી તે પાકી ગયો નથી, તોપણ તેને ભાત પાકે છે એમ કહેવું. (અલાપપદ્ધતિ, પાનું ૬૫-૬૬) પ્ર. ૬૩-સંગ્રહનય કોને કહે છે? ઉ. જે નય પોતાની જાતિનો વિરોધ નહિ કરી સમસ્ત પદાર્થોને એકપણાથી ગ્રહણ કરે તેને સંગ્રહનય કહે છે. જેમકે:- સત્ દ્રવ્ય, ઈત્યાદિ. પ્ર. ૬૪-વ્યવહારનય કોને કહે છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy