SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇષ્ટોપદેશ ૭૪ ) (ભગવાન શ્રી કુંદકુંદ टीका- परस्य कर्मणो देहादेर्वा अविद्यावशात् क्रियमाणमुपकारं विद्याभ्यासेन त्यक्त्वात्मानुग्रहप्रधानो भव त्वं। किं कुर्वन्सन् ? उपकुर्वन्! कस्य, परस्य सर्वथा स्वस्माद्बाह्यस्य दृश्यमानस्येन्द्रियैरनुभूयमानस्य देहादेः । किं विशिष्टो यतस्त्वं ? अज्ञस्तत्त्वानभिज्ञः। किंवल्लोकवत् । यथा लोकः परं परत्वेनाजानंस्तस्योपकुर्वन्नपि तं तत्त्वेन ज्ञात्वा तदुपकारं त्यक्तत्वा स्वोपकारो भवत्येवं त्वमपि भवेत्यर्थः।। ३२।। શ્લોક-૩૨ અન્વયાર્થ:- [અજ્ઞ: જોવત્] તું લોક સમાન મૂઢ થઈ [દશ્યમાનસ્ય પરફ્ય] દેખવામાં આવતા (શરીરાદિ ) ૫૨ પદાર્થનો [૩પર્વન] ઉપકાર કરે છે. (હવે) તું [ પરોપકૃતિ] ૫૨ના ઉ૫કા૨ની ઇચ્છા [ઉત્કૃ] છોડી દઈ [સ્વોપાવર: મવ ] પોતાના ઉપકારમાં તત્પર થા. ટીકા:- અવિધાના વશે ૫૨નો એટલે કર્મનો અથવા શરીરાદિકનો કરવામાં આવતા ઉ૫કા૨નો, વિધાના (સમ્યજ્ઞાનના ) અભ્યાસથી ત્યાગ કરી, તું પ્રધાનપણે પોતાનો આત્માનો ) અનુગ્રહ (ઉપકાર ) કરવામાં તત્પર થા. શું કરતો (તું)? ઉપકાર કરતો. કોનો? પરનો અર્થાત્ સર્વથા પોતાનાથી બાહ્ય(ભિન્ન) દેખાતા તથા ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં આવતા શરીરાદિનો (ઉપકાર કરતો ); કારણ કે (તું) કેવો છે? તું અજ્ઞાની-તત્ત્વોનો અજાણ છો. કોની માફક? લોકોની માફક. જેમ (અજ્ઞાની ) લોક જ્યાં સુધી ૫૨ને ૫૨રૂપ નથી જાણતો, ત્યાં સુધી તેનો ઉપકાર કરે છે, પરંતુ તેને તત્ત્વથી જાણ્યા પછી (અર્થાત્ સ્વને સ્વ-રૂપ અને પ૨ને ૫૨રૂપ જાણ્યા પછી) તેનો ઉપકાર કરવો છોડી દે છે અને પોતાનો ઉપકાર કરવા તત્પર થાય છે, તેમ તું પણ તત્પર થા (અર્થાત્ તત્ત્વજ્ઞાની બની આત્મોપકાર કરવા તું તત્પર થા) એવો અર્થ છે. ભાવાર્થ:- અજ્ઞાનને લીધે અજ્ઞાની જીવ જ્યાં સુધી કર્મ તથા શરીરાદિને પરૂપ નથી જાણતો ત્યાંસુધી તે તેનું ભલું કરવાની- તેના ઉપર ઉપકાર કરવાની વૃત્તિ કરે છે, પરંતુ જ્યારે તેને ભેદવિજ્ઞાનના બળે સ્વ-૫૨ની ભિન્નતા ભાસે છે અર્થાત્ તે સ્વને સ્વ-રૂપ અને ૫૨ને ૫૨રૂપ જાણે છે, ત્યારે તેને ૫૨ ઉપ૨ ઉપકાર કરવાનો ભાવ છૂટી જાય છે અને તે સ્વસન્મુખ થઈ પોતાના આત્મા ઉપર ઉપકાર કરવા ઉદ્યમશીલ બને છે. શ્રી પૂજ્યપાદાચાર્યે ‘સમાધિતંત્ર’ શ્લોક ૩૧ માં કહ્યું છે કેઃ Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008246
Book TitleIshtopadesha
Original Sutra AuthorN/A
AuthorPujyapad
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, P000, & P020
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy