SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૭૬ હવે...કહે છે કે આ સ્થિતિ છે. હવે એ સ્થિતિનો સિદ્ધાંત સિદ્ધ કરે છે, બતાવે છે. સિદ્ધાંત બોધ' છે આ. ફરે નહીં અફર! (સિદ્ધ થયેલો). “વસ્તુ સ્વભાવ” એટલે, જ્ઞાનનો–વસ્તુનો પોતાનો સ્વભાવ, નિજ ભાવ, નિરપેક્ષ ભાવ. જુઓ! આમાં નિશ્ચયનય કે વ્યવહારનયનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી (આચાર્યદેવ), સ્વભાવની વાત કરે છે. આત્માના જ્ઞાનની પર્યાય, વસ્તુ છે. એનો જે મૂળસ્વભાવવસુસ્વભાવ “પર વડ' એટલે શેય વડ, જોય વડે આત્માનું જ્ઞાન થઇ શકતું નથી. અશક્ય છે..અસંભવિત છે! શાસ્ત્રથી આત્મજ્ઞાન ન થાય શાસ્ત્રથી ઇન્દ્રિયજ્ઞાન થાય (માત્ર જાણકારી) શાસ્ત્રની સન્મુખ (થઇને) અધ્યયન કરે, તો ઇન્દ્રિયજ્ઞાન તો થાય, પણ..એ દ્રવ્યશ્રત કારણ થાય અને ભાવશ્રત આંહીયા (આત્મામાં) કાર્ય થઈ જાય એના કારણે, એમ ત્રણ કાળમાં બનતું નથી. વ્યવહારથી કહેવાય. કે શાસ્ત્રથી જ્ઞાન થાય. પણ પરમાર્થદષ્ટિથી જોવામાં આવે તો પરપદાર્થો જે શેયો છે જગતના પદાર્થો, જે આત્માથી તદ્દન ભિન્ન છે. એ આત્માના દ્રવ્યમાં નથી, આત્માના ગુણમાં નથી. અને આત્માની જ્ઞાનની પર્યાય થાય, એમાં પણ પરપદાર્થની નાસ્તિ છે. તો, જે જેમાં નથી, એનાથી અહીં આત્માનું જ્ઞાન થાય-એ તો બે દ્રવ્યની એકતા કરે છે. આહા...હા ! બિલકુલ ખોટી વાત છે. કે પરપદાર્થ આત્માને સુખી-દુઃખી કરે, બંધ-મોક્ષને પમાડે! તન્ન જૂઠી વાત છે. નિમિત્ત, ઉપાદાનમાં અકિંચિકર છે. નિમિત્ત, નિમિત્તમાં છે. ઉપાદાન, ઉપાદાનમાં છે. બે ય સ્વતંત્ર છે. પરંતુ વસ્તુસ્વભાવ પર વડે” આહા ! ય વડે જ્ઞાન થતું નથી. જ્ઞય પ્રતિભાસે છે. પણ જ્ઞય પ્રતિભાસે છે.....માટે અહીંયા જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન તો જ્ઞાનથી જ થાય છે. ભલે! પરપદાર્થનો પ્રતિભાસ (જ્ઞાનપર્યાયમાં) હો! હો તો હો!! પણ...એક દ્રવ્યના પરિણામ, બીજા દ્રવ્યના પરિણામનો ઉત્પાદક ત્રણકાળમાં હોતો નથી. એક દ્રવ્ય, બીજા દ્રવ્યના પરિણામને ઉત્પન્ન કરે કોઇ સંત પાકે ને (બીજાના) મિથ્યાત્વનો નાશ કરી દે અને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવી ધે આપણને, છે નહીં એમાં વસ્તુના સ્વભાવમાં નથી, ભૂલ્યું છે જગત! ભૂલાવામાં છે (અજ્ઞાનીઓ) આહા...! તો તો તીર્થંકર ભગવાન એક પાકે, આખું વિશ્વ સમ્યગ્દષ્ટિ થઇ જાય! (સૌની) મોક્ષ થઈ જાય! પછી તો સંસાર ક્યાં રહ્યો! આવા ત્રણલોકનો નાથ! અનંત વીર્ય જેને પ્રગટ થઇ ચૂકયું છે! એ તો જ્ઞાતા છે, કર્તા નથી પ્રભુ! આહા...! જ્ઞાનીને પણ કર્તા બનાવે! પોતાની ભૂલથી, (અને અભિપ્રાય સેવે કે) એના આશીર્વાદથી અમે તરી જશું. આહા...હા! ભીંત ભૂલે છે જગત! એક દ્રવ્ય, બીજા દ્રવ્યના પરિણામનો ઉત્પાદક ત્રણકાળમાં થઈ શકતો નથી. એક પર્યાયના બે કર્તા ન હોય. અને બે પદાર્થ મળીને એક પરિણામ ઉત્પન્ન કરે છે (એમ) ન હોઇ શકે, આ બધા ન્યાયો છે શાસ્ત્રમાં. ( સિદ્ધ થયેલા સિદ્ધાંતો છે) તત્ત્વનો અભ્યાસ હોય એને ખબર પડે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy