SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes રહે નહીં. “દેખ્યા વિના દેખી લેવું” તે સમ્યજ્ઞાનનો કોઈ અદ્દભુત સ્વભાવ છે. આમ સ્વપ્રકાશક પૂર્વક તે જ સમયે નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટ થાય છે. (૮) સાધકની સવિકલ્પ દશાનું સ્વપ૨ પ્રકાશકનું સ્વરૂપ દર્શાવનાર પૂ. ભાઈશ્રી હવે નંબર ત્રણ સ્વપર પ્રકાશકનું સ્વરૂપ કઇ રીતે છે? સાધક સવિકલ્પ દશામાં આવે છે, ત્યારે કોઇને કોઇ કાળે જાણેલો પ્રયોજનવાન છે. આ એકજ જ્ઞાનની પર્યાયમાં સાધકને નિશ્ચય વ્યવહાર હોય છે. તે કેવી રીતે ? સવિકલ્પદશામાં રાગાદિ ૫૨ને જાણે છે ઇન્દ્રિયજ્ઞાન, અને કહેવાય છે કે અતીન્દ્રિયજ્ઞાન તેને જાણે છે, તો ઉપચાર આવ્યો કે આત્મા ૫૨ને જાણે છે. સાધક તો અતીન્દ્રિયજ્ઞાન રૂપે પરિણમે છે. ઇન્દ્રિયજ્ઞાનના પરિણામથી તો ભેદજ્ઞાન વર્તે છે. હવે કોઇ એમ માને કે ઇન્દ્રિયજ્ઞાનરૂપે આત્મા પરિણમે છે અને અતીન્દ્રિયજ્ઞાનરૂપે પણ આત્મા પરિણમે છે' એમ જો કોઇ લઇ લ્યે તો નુકશાન થઇ જાય. ઇન્દ્રિયજ્ઞાન રૂપે જ્ઞેય પરિણમે છે. અર્થાત્ જ્ઞાન જ્ઞેયને પરિણમાવતું નથી. શેય જ્ઞાનને પરિણમાવતું નથી. જાણે છે ૫૨ને ઇન્દ્રિયજ્ઞાન અને માને છે હું જાણું છું તો જ્ઞેય-જ્ઞાયક સંકર દોષ થાય છે. અને ભાવેન્દ્રિય ૫૨ને જાણે છે, હું નહીં. તો શેય-જ્ઞાયક સંકર દોષ નહીં થાય. આ રહસ્ય છે. ઉપચાર કેમ આવ્યો? જો ઇન્દ્રિયજ્ઞાન સંયોગપણે નિમિત્ત પણે ન હોય તો, વ્યવહાર ઊભો જ ન થાત. તો તો કેવળજ્ઞાન હોય. પણ કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાન જીવતું છે. વળી સાધકને સવિકલ્પ દશામાં ઇન્દ્રિયજ્ઞાન વ્યાપારરૂપ ચાલુ છે, ત્યારે ઉપાદાન એટલે અતીન્દ્રિયજ્ઞાન તો પોતાને જ જાણ્યા કરે છે. પણ સવિકલ્પ દશામાં ઇન્દ્રિયજ્ઞાન ૫૨ને જાણ્યા વિના રહેતું પણ નથી. તેને વ્યવહા૨ જાણે, તો નિશ્ચય ખ્યાલમાં આવી જાય છે. સંયોગના સદ્ભાવમાં પણ જ્ઞાનતો અતીન્દ્રિયજ્ઞાનરૂપે જ પરિણમે છે. તે સ્વભાવના સ્વભાવ રૂપે પરિણમે છે, પણ સંયોગના સ્વભાવ રૂપે પરિણમતું નથી. અને બીજો પ્રકાર એ છે કે જ્ઞાનની સ્વચ્છતામાં નિમિત્તનો પ્રતિભાસ દેખીને ઉપચાર ક૨વામાં આવે છે. જેમ પર્યાયનો કર્તા પર્યાય છે, પણ દ્રવ્ય પર્યાયનો કર્તા છે તે ઉપચાર છે તેમ નિમિત્તો સ્વચ્છતામાં પ્રતિભાસે છે, ત્યારે જ્ઞાન તો શાયકને જ જાણે છે. અથવા ભાવેન્દ્રિય ૫૨ને જાણે તો ઉપચાર કહેવામાં આવે છે કે આત્મા ૫૨ને જાણે છે. ઉપચારતે કથન માત્ર છે. ઉપચારને, ઉપચાર કોણ જાણે ? જે અણઉપચારને જાણે છે તે ઉપચારને ઉપચાર જાણે છે માટે તેને દોષ નથી. ઉપચારને નિશ્ચય માનવાનો નિષેધ છે. ઉપચારને ઉપચાર જાણે તો તેને ભેદજ્ઞાન થઇ ગયું. સાધક અપરિગ્રહી અને અણઇચ્છક છે. તેને પ૨ને જાણવાની ઇચ્છા મરી ગઇ છે. જ્ઞાન સ્વભાવમાં તૃપ્ત છે. ‘દર્પણમેં આયે હુયે પ્રતિબિંબ કે સમાન' સાધક પુણ્યને, પાપને, આહારને, પાણીને સાધક જાણે છે. “૫૨ને જાણતાં સુખે નથી, જ્ઞાન પણ નથી.” તેને જ્ઞાન ઉદય પામી ગયું છે. સાધક ચેતી ગયો છે. સાધક કહે છે કોણ જાણે છે પ૨ને? ભાવેન્દ્રિય, બુદ્ધિ જાણે છે ૫૨ને. મારી શુદ્ધ પરિણિત મારાથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy