SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી શુદ્ધાત્મને નમઃ શ્રી સમયસારાય નમઃ શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨ તા. ૬-૧૧-૧૯૯૧ રાજકોટ પ્રવચન નં.-૧ર મોક્ષ થયો એટલે ચાર ઘાતિકર્મોનો તો અભાવ પ્રથમ અરિહંતદશામાં થયો હતો. પણ અઘાતિકર્મ એટલે શરીર આદિનો સંયોગ એમને હતો. એ શરીરનો પણ વિયોગ થયો, દષ્ટિમાં તો અભાવ ચોથા ગુણસ્થાને થઈ જાય છેશરીરનો, પણ સંયોગ રહી જાય છે. એ સયોગ પણ આયુષ્ય પૂરું થતાં સંયોગ-પરમાણુ વિખરાઈ જાય છે અને સમશ્રેણીએ સિદ્ધ પરમાત્મા થઇ જાય છે. જે સમયે અહીંયાં છે આત્મા-અરૂપી આત્મા છે તે જ સમયે એનો ઊર્ધ્વગમન સ્વભાવ હોવાથી, એક જ સમયમાં સિદ્ધાલયમાં બિરાજે છે. એવા અનંત તીર્થકરો અને અનંત સામાન્ય કેવળી પરમાત્મા સિદ્ધાલયમાં બિરાજમાન છે. એવો આજે જેનો મોક્ષ થયો, મોક્ષકલ્યાણક ઉજવવા ઉપરથી દેવો આવે છે! અને એની વાણી બંધ થઇ અને અશરીરી થઇ ગયા ! અને આજે ગૌતમ ગણધર ભગવાનને પણ કેવળજ્ઞાન થયું એટલે “મોક્ષ કલ્યાણક” અને આમનું “કેવળકલ્યાણક' એનો આજે દિવસ છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું! પાવાપુરીમાંથી મોક્ષ ગયા અને થોડે આઘે એક નદી છે એ નદીના તટ ઉપરથી એમને કેવળજ્ઞાન ગૌતમગણધરને થયું, ગુણાવા, ગુણાવા છે ને નામ! ગુણાવા-ત્યાંથી. આજના દિવસે પાવાપુરીમાં મોટો ઉત્સવ થાય છે. હજારો માણસ પાવાપુરીમાં દિવાળી કરવા માટે આવે છે. એવો આજનો માંગલિક દિવસ છે. તેઓની વાણીમાં દિવ્યધ્વનિમાં શું આવ્યું? એ ગૌતમ ગણધરની પરંપરામાં કુંદકુંદાચાર્ય ભગવાન સુધી વાણી આવી, અને ઉપરાંત પોતે (કુંદકુંદ ભગવાન) એ મહાવિદેહ ક્ષેત્રમાં પધાર્યા અને આઠ દિવસ ત્યાં રહ્યા! અને કેટલીક વધારે સ્પષ્ટતા-ચોખવટ દિવ્યધ્વનીમાંથી આવી અને શ્રુતકેવળીને મળીને પણ ઘણી ચોખવટ એમને થઇ. ત્યાંથી આવ્યા પછી આ “સમયસાર' આદિ (પંચ પરમાગમ) શાસ્ત્રોની રચના થઇ. ચોરાશી પાહૂડ રચ્યા છે પણ અત્યારે પાહૂડ ઓછા છે. શાસ્ત્ર, બાકી શાસ્ત્રો વિચ્છેદ ગયા, મૂળ વાત રહી ગઇ! પદાર્થનું સ્વરૂપ “પ્રવચન-સાર' માં આવ્યું અને પ્રયોજનનું સ્વરૂપ “સમયસાર' માં આવ્યું! બે ચીજની જરૂર હતી, બેય ચીજની પૂર્ણાહુતિ થઇ ગઇ છે. અહીંયા પદાર્થના સ્વરૂપને જાણીને-પદાર્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાય (અથવા) સામાન્ય, વિશેષ સ્વરૂપ, એને જાણીને...એમાં ભેદજ્ઞાન કરી, અભેદ આત્માનો અનુભવ કરવો, તો જેમ ભગવાન મહાવીરની મુક્તિ થઈ એમ આપણી બધાની મુક્તિ થઇ જાય. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy