SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૧૮ અનુભવી કહે) કે નિશ્ચયે તો જ્ઞાન જેમાં જેનું હોય, જેમાંથી ઉત્પન્ન થાય અને જેમાંથી આવે ને જેમાં સમાય...એ જ જ્ઞાનનું ઝેય હોય ! જગતના પદાર્થ એ જ્ઞાનનું શેય નથી ભાઈ ! એ તો ઇન્દ્રિયજ્ઞાનનું શેય છે. વ્યવહાર mય એટલે....? આત્મા વ્યવહાર પરને જાણે છે એટલે શું? જાણે છે. બુદ્ધિ-મન! ઉપચાર આવ્યો કે આત્મા અને જાણે છે, એ ઉપચરિત કથન છે-એ વ્યવહારનયનું કથન છે, એ સાચું કથન નથી !! જગતના પદાર્થો આત્માના જ્ઞાનને ઉત્પન્ન કરી શકતા નથી. તેમ આત્માનું જ્ઞાન, જગતને શેયપણ ઉત્પન્ન કરી શકતું નથી. જગતના પદાર્થો છે બસ! જગતના પદાર્થો અસ્તિત્વરૂપે છે બસ!! આહા...! એનાથી મારું જ્ઞાન ઉત્પન્ન ન થાય અને મારું જ્ઞાન–મારા જ્ઞાનનું જ્ઞય એ (જગત) ન થાય! આત્માથી આત્માનું જ્ઞાન ઉત્પન્ન થાય, તેથી. એ જ્ઞાન....જ્ઞાયકને જ જાણે છે! જેનાથી ઉત્પન્ન થાય તે જોય છે! અને જેને ઉત્પન્ન કરે તે પણ શેય છે!!દ્રવ્ય, ગુણ ને પર્યાય એ બધું સ્વર્શયમાં જાય છે (એટલે કે અનુભવમાં શેય થાય છે). આહ...! પરપદાર્થ “નિમિત્ત” પણ નથી ને પરપદાર્થ-જગતનો કોઈ પણ પદાર્થ “શેય” પણ નથી. વ્યવહારે શય કહેવામાં આવે, એનો અર્થ શું? કે સવિકલ્પદશામાં (સાધકને) ઇન્દ્રિયજ્ઞાન હોય છે, સાધકને પણ (છે) તો ઇન્દ્રિયજ્ઞાન અને જાણે છે બુદ્ધિ અને જાણે છે. જાણે છે ગુણભેદને ને પર્યાયને! ભલે જાણે !! પણ મારા જ્ઞાનનું શેય નથી ! શબ્દ છે ને શબ્દ, (પાંચ ઇન્દ્રિયોના) પાંચ બોલ આવ્યા હતા ને! પાંચ ને બે (મન-બુદ્ધિ) ના (થઈ ) સાત બોલ છે. (કહે છે) શબ્દનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. શબ્દ છૂટે છે ને ધ્વનિ! એ શબ્દનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. પછી બીજું (કહ્યું) રૂપ, રૂપ! કાળો ધોળો પદાર્થ-એ રૂપનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. પછી આ ઘાણ (ઇન્દ્રિય) સુગંધ ને દુર્ગધ! એનું જે જ્ઞાન થાય છે તે આત્માનું જ્ઞાન નથી. આ રસ, રસ-ખાટો-મીઠો, ખાટામીઠાનું રસનું જે જ્ઞાન થાય છે ને! તે જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. ટાઢી-ઊની અવસ્થાનું જે જ્ઞાન થાય છે ને ! તે આત્માનું જ્ઞાન નથી. ( આશ્ચર્ય ઊપજાવે!) એનું જ્ઞાન થાય છે એમ કહેવું ને તે આત્માનું નથી! એનું જ્ઞાન થાય છે એ નામ નિક્ષેપે છે. ખરેખર! જ્ઞાન એનું નામ નથી. આહા..! અભૂતાર્થનયે જ્ઞાન એને કહેવામાં આવે છે. એ શેયનું જ્ઞાન એ શેય જ છે!! આત્માનું જ્ઞાન એ આત્મા જ છે! (જુઓ ભાઈ !) બે ભાગલા છે. “શયનું જ્ઞાન' એ ભાઈ ? ( જ્ઞયનું જ્ઞાન (તે શેય જ છે.અપૂર્વ વાત છે લ્યો ! (ભાઈ કહે છે) આત્મા છે ને! ખરેખર! એમ લાગે છે મને તો....કે જો સત્યવાણી આવે, તો જગતના જીવો અપનાવી લ્ય! જુઓ ને ભાઈ એ આ શું કહ્યું ! કહ્યું ને! અપૂર્વ વાત છે. આહા...હા! એ સ્પર્શ (ગુણમાં) ટાઢી-ઊની અવસ્થાનું જે જ્ઞાન થાય છે, તે જ્ઞાન આત્માનું નથી. એ કેનું જ્ઞાન છે ઈ ? કે “જ્ઞયનું જ્ઞાન” થયું! તો (પર) જ્ઞયનું જ્ઞાન છે તે ‘ય’ જ છે. અને આત્માનું જ્ઞાન છે તે આત્મા જ છે! આહા! “ જેનું જે હોય તે તે જ હોય” આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy