SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૫ પ્રવચન નં. - ૭ નથી. પર (વસ્તુ) ખેંચી શકે તો નહીં પણ આ (જ્ઞાન) ખેંચાઇને ત્યાં જાય નહીં, એનું લક્ષ જ ન કરે ! આત્માનું જ્ઞાન આત્માને લક્ષ કરીને જ પરિણમે છે. પોતાને જાણતું જ પરિણમે છે. આહાહા! અનાદિ-અનંત જ્ઞાન જ્ઞાયક ને જાણતું પરિણમે છે! જાણે છે જ્ઞાન, ને જણાય છે જ્ઞાયક! જાણે છે જ્ઞાન અને જાણે છે જ્ઞાયક! આવું ફંકશન-પ્રક્રિયા અનાદિ અનંત ચાલે છે, બાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે, આત્મા જણાય છે, આત્મા જણાય છે કેમકે એમાં પ્રમેયત્વ-શેયત્વ નામનો સ્વભાવ છે. અને જ્ઞાનમાં જ્ઞાનત્વ છે એટલે જ્ઞાન જ્ઞાયકને જાણે છે! જાણે અને જણાય, જાણે અને જણાય, જાણે ને જણાય એ (પ્રક્રિયા) અંદરમાં છે. અહા....! જ્ઞાન, બહારને જાણતું નથી અને બાહ્યના પદાર્થો અંદર જણાતા નથી ! આહાહાહા ! બે ભાગ પડી જાય છે-ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાન! મહાપદાર્થ અંદરમાં બિરાજમાન છે. આ ભેદ જ્ઞાનની ઉત્કૃષ્ટ વાત ચાલે છે. “અને આત્મા પણ લોહચુંબક-પાષાણ થી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી વ્યુત થઈને” એટલે જ્ઞાન પોતાને જાણવાનું છોડીને, પરને જાણવા જતો નથી, એટલે પરનું “લક્ષ' કરતો નથી. “પરનું લક્ષ કરવું એ જ્ઞાનનો સ્વભાવ નથી, પરનું લક્ષ કરવું એ અજ્ઞાનનો-વિભાવ છે. પરનું લક્ષ કરે એ જ્ઞાન નથી, એ ભાવેન્દ્રિય છે-ઇન્દ્રિયજ્ઞાન છે. ઈન્દ્રિયજ્ઞાનનો જન્મ પરના લક્ષ થાય અને જ્ઞાનનો જન્મ તો સ્વના લક્ષે થાય છે. એ તો પરને જાણતું નથી. ને પરને જાણવા જતું નથી ને પર જણાતું (ય) નથી. જેનાથી જ્ઞાન પ્રગટ થાય એ જ જ્ઞાન એનું કર્મ થાય અને જેનાથી જ્ઞાન પ્રગટ થાય એ જ્ઞાનમાં એજ જ્ઞાન જણાય! માટે “જ્ઞાયક જ શેય” થાય. જ્ઞાન કર્મ થાય અને જ્ઞાયક ય થાય. એ કર્મ પણ પોતે અને શેય પણ પોતે ! ભેદથી જુઓ તો પર્યાય અને અભેદથી જુઓ તો આત્મા શેય છે! અને આત્મા જ કર્તાકર્મ છે બધું અંદર જ છે જ્ઞાન પણ અંદર, શેય પણ અંદર અને જ્ઞાતા પણ અંદર-ધર્મ કરવો હોય તો આ રીત (વિધિ) છે. આહ! કરમ તો કરતો આવે છે (અનાદિથી) પણ ધર્મ કર્યો નહીં અને હજી હું પરને જાણું છું એવા અસભૂતવ્યવારના-જુદી વ્યવહારના પક્ષમાં રહેશે તો એ સમ્યની સન્મુખ નથી. “આત્મા આત્માને જાણે છે” એમાંય અનુભવ થતો નથી, તો આત્મા “પરને જાણે છે' - એમાં અનુભવ ક્યાંથી થાય? આત્માને જાણે છે તેવા ભેદમાં પણ આત્માના દર્શન થતાં નથી. કેમકે “જાણે ને જણાય” એક સત્તામાં છે. જાણનાર બીજોને જણાય બીજો એવી બે સત્તા અંદરમાં નથી. એવી એક સત્તાના ત્રણ ધર્મો છે, સત્તા એક અને ધર્મ ત્રણ-જ્ઞાતા જ્ઞાનને જોય! આહાહા ! જાણે પણ જ્ઞાન અને જણાય પણ જ્ઞાન! જાણે જ્ઞાન અને જણાય રાગ એમ છે નહીં! એકવાર હૈદ્રાબાદમાં ગુરુદેવ પધાર્યા હતા. ત્યારે ત્યાં ઊતારા આપ્યા હતા. તેમાં બાબુભાઈ અને હું ઉતર્યા હતા, બપોરે જમીને, મને આરામ કરવાની જરા ટેવ, બાબુભાઈ કહે, “હું ગુરુદેવ પાસે જાઉં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy