SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨ જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ઇન્દ્રિયજ્ઞાનનો વિષય હો તો હો, પણ હવે ઇન્દ્રિયજ્ઞાન લંગડું થઈ ગયું છે ઝાઝો ટાઇમ (સમય) રહેવાનું નથી. આહા! એમાં ઘસારો થવા માંડયો, એમાં ઘસારો થાય છે. ઘસારો સમજ્યા ને? એના અંશો ઘટતા જાય છે. ભલે ! ઉઘાડ વધે પણ એની શક્તિ ઘટે છે! હા, ઠેકડા મારવાની શક્તિ હવે ઘટે છે, ઉઘાડ ભલેને વધે, એના ઉપર ચોકડું ચડી ગયું છે. ભેદજ્ઞાનનું! એને આત્મા ટેકો આપતો નથી. અરે! આ પરિણામી (દ્રવ્યને) હું જાણું છું! આચાર્ય ભગવાન કહે છે, એ તારા જ્ઞાનનો વિષય નથી. તું તો આત્મા છો, પરમાત્મા છો હોં! એ પરમાત્મા (અપરિણામી) એનો વિષય પરિણામી ના હોય-પરિણામી ના હોય, પણ અપરિણામી હોય. અપરિણામીના લક્ષ તો જ્ઞાન પ્રગટ થાય, વધે ને પૂર્ણ થાય. આદિ-મધ્ય-અંતમાં આમાં સમ્યગ્દર્શનની વાત તો છે પણ શ્રેણી સુધીની વાત લઇ લીધી છે. ' અરે! પરપદાર્થો તો ઇન્દ્રિયજ્ઞાનનો ખરેખર વિષય નથી પણ અહીંયા પરિણામ અને પરિણામી–બેયના ભેદને કાઢીને અપરિણામમાં લઇ જાય છે-જ્ઞાયકમાં લઇ જાય છે! તારો વિષય (ધ્યેય) તો “જાણનાર” તેને જાણ ને! આહા ! જેમાં જાણવાની ક્રિયા ન થાય તેને (જડને) જાણવા ક્યાં ગયો? અને શિવબુદ્ધિને છોડી “તું મને જાણ દ્રવ્ય એમ કહેતું નથી. (જુઓ ગાથામાં) દ્રવ્ય કહ્યું છે, તત્ત્વ નથી કહ્યું-જીવતત્ત્વ નહીં, પણ છદ્રવ્યમાં (જે) જીવદ્રવ્ય છે-છએ દ્રવ્ય પરિણામી છે એમ જીવદ્રવ્ય પણ પરિણામી છે. જીવતત્ત્વ અપરિણામી છે. જીવતત્ત્વ પરિણામી ન હોય, બરબાર છે? બધા અભ્યાસી છે. (આ) જીવદ્રવ્યની વાત છે! સાચી વાત છે આ અદ્દભુત ચમત્કારિક વાતો શાસ્ત્રમાં છે. એદ્રવ્ય એમ નથી કહેતું કે “તું મને જાણ” “જો દ્રવ્ય આત્મજ્ઞાનનો વિષય હોત તો નિષેધ ન કરત મુનિરાજ! શું કહ્યું? જીવદ્રવ્ય, જે પર્યાયસાપેક્ષ પરિણામી, એ જો આત્મજ્ઞાનનો વિષય હોત તો અને તેના લક્ષે જો (આત્માનો) અનુભવ થતો હોત, તો એનો નિષેધ ન કરત! એને જાણવાનું બંધ કર, એમ ન કહેત! પણ એના લશે તો આત્મજ્ઞાન ઉદય પામતું નથી માટે એને જાણવાનું બંધ કરી દે! અહા..હા...હા! તું મને જાણ” અને આત્મા પણ...એ દ્રવ્ય કહેતું નથી કે “તું મને જાણ અને આત્મા ‘પણ'... “પણ” લગાવ્યું ને! ઓલું કહ્યું એટલે આ “પણ” લગાવવું પડયું! “આત્મા પણ પોતાને જાણવાનું છોડીને એને જાણવા જતો નથી. આવી સ્થિતિ હોવા છતાં મૂઢપ્રાણી ! આહા! “મને આ જણાય છે ને મને આ જણાય છે ને મને આ જણાય છે!” કે: “ગુણપર્યાયવત દ્રવ્યમ્' છે ને “ઉત્પાદવ્યયધ્રુવયુક્ત સત” છે, એની કોણ ના પાડે છે બાપુ! છે, છે! પણ તારા જ્ઞાનનો વિષય (ધ્યેય) એ નથી. (એનું) અસ્તિત્વ બસ! છે બસ! “છે”. નો નિષેધ નથી, પણ (તેના) લક્ષનો નિષેધ છે. આહા...હા! આ જુવાનિયો બેઠો છે ઈ“ હા પાડે છે! તમારી બાજુમાં, કયા ગામના છો ? ગુણપર્યાયવત્ દ્રવ્યમ્' છે પણ તે જ્ઞાનનો વિષય નથી, એનું લક્ષ કરવા યોગ્ય નથી! કયા ગામમાં રહો છો તમે ? ( શ્રોતા:) ભીંડમાં (ઉત્તર) ભીંડના છો, ભીંડના અચ્છા, જુવાનિયા પકડે તો સારું સમજી ગયા ! બધા પકડે તો સારું પણ..જુવાનિયા પકડે તો પરંપરા ચાલે એવો જરા લોભ રહે છે! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy