SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૨૯ જ્ઞાયકષ્ટિ છૂટતી નથી, જ્ઞાયકદષ્ટિમાં તે નિર્મળ જ્ઞાનપર્યાયે જ ઊપજે છે. [૫૫] જ્ઞાની જ્ઞાતા રહે છે, અજ્ઞાની રાગનો ર્તા થાય છે, ને ૫૨ને ફેરવવા માંગે છે. હું શાયક છું–એવી દષ્ટિ કરીને જ્ઞાતાપણે ન રહેતાં અજ્ઞાની રાગાદિનો ર્ડા થઈને ૫૨ના ક્રમને ફેરવવા જાય છે. એને હજી રાગને કરવો છે ને પરને ફેરવવું છે, પણ જ્ઞાતાપણે નથી રહેવું, તેને જ્ઞાતાપણું નથી ગોઠતું એટલે જ્ઞાન ઉપર ક્રોધ છે; તેમજ પરના ક્રમબદ્ઘપરિણમન ઉપ૨ (એટલે કે વસ્તુના સ્વભાવ ઉપર) દ્વેષ છે તેથી તેના ક્રમને ફેરવવા માંગે છે, આ મિથ્યાદષ્ટિના અનંત રાગ-દ્વેષ છે. અમુક વખતે અમુક પ્રકારનો રાગ પલટીને તેને બદલે આવો જ રાગ કરું-એમ જે હઠ કરીને રાગને ફેરવવા માંગે છે તેને પણ રાગ સાથે એકત્વબુદ્ધિથી મિથ્યાત્વ થાય છે. સાધક, ભૂમિકા-અનુસાર રાગ હોય તેને જાણે છે, તે રાગને જ્ઞાનનું શેય બનાવી દે છે, પણ તેને જ્ઞાનનું કાર્ય નથી બનાવતા, તેમજ રાગ થતાં જ્ઞાનમાં શંકા પણ નથી પડતી. હઠપૂર્વક રાગને ફેરવવા જાય તો તેને તે વખતના (–રાગને પણ જાણનારા) સ્વ-પરપ્રકાશક જ્ઞાનની પ્રતીત નથી એટલે જ્ઞાન ઉપર જ દ્વેષ છે. જ્ઞાની તો શાયકદષ્ટિના જોરમાં જ્ઞાતાપણે જ ઊપજે છે, રાગપણે ઊપજતા નથી; રાગના ય જ્ઞાતાપણે ઊપજે છે પણ રાગના ર્દાપણે નથી ઊપજતા. સમ્યગ્દષ્ટિનું આવું કાર્ય છે. અજ્ઞાની તો શાયકસ્વભાવની પ્રતીત ન રાખતાં, પર્યાયમૂઢ થઈને પર્યાયને ફેરવવા માંગે છે, અથવા ૫૨શેયોને લીધે જ્ઞાન માને છે, એટલે તે જ્ઞેયોને જાણતાં તેમાં જ રાગદ્વેષ કરીને અટકી જાય છે, પણ આમ જ્ઞાયકસ્વભાવ તરફ વળતો નથી. [૫૬] જૈનના લેબાસમાં બૌદ્ધ. * બૌદ્ધમતિ એમ કહે છે કે ‘Âયોને લીધે જ્ઞાન થાય છે; સામે ઘડો હોય તો અહીં ઘડાનું જ જ્ઞાન થાય છે; ઘડા વખતે ઘડાનું જ જ્ઞાન થાય છે પણ ‘આ હાથી છે’ એમ નથી જણાતું, માટે શેયને લીધે જ જ્ઞાન થાય છે.’–પણ તેમની એ વાત મિથ્યા છે. જ્ઞેયોને લીધે જ્ઞાન નથી થતું પણ સામાન્યજ્ઞાન પોતે વિશેષજ્ઞાન પણે પરિણમીને જાણે છે એટલે જ્ઞાનની પોતાની જ તેવી યોગ્યતાથી ઘડા વગેરેનું જ્ઞાન થાય છે, તે જ્ઞાન વખતે ઘડો વગેરે શેયો તો માત્ર નિમિત્ત છે.-એમ યુક્તિપૂર્વક સિદ્ધ કરીને, અકલંક આચાર્ય વગેરે મહાન સંતોએ, ‘શેયોને લીધે જ્ઞાન થાય' એ વાત ઊડાડી દીધી છે. તેને બદલે આજે જૈન નામ ધરાવનારા કેટલાક વિદ્વાનો પણ એમ માને છે કે ‘નિમિત્તને લીધે જ્ઞાન થાય છે, નિમિત્તને લીધે કાર્ય થાય છે’–તો એ પણ બૌદ્ધમતિ જેવા જ મિથ્યાદષ્ટિ ઠર્યા; બૌદ્ધના ને એના અભિપ્રાયમાં કાંઈ ફેર ન રહ્યો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy