SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬ તોડવા કે ફેરવવા કોઈ સમર્થ નથી. હું જ્ઞાયક, જગતના દ્રવ્ય-ગુણ-પર્યાય જેમ સત્ છે તેમ તેનો જાણનાર છું–આમ પોતાના જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરવાની આ વાત છે. જ્ઞાયકનો નિર્ણય કરે તે જ જ્ઞયોને યથાર્થપણે જાણે છે. [૧૯૧] આ છે, જ્ઞાયક સ્વભાવનું અર્તાપણું. દ્રવ્ય-ક્ષેત્ર ને ભાવ, પહેલા સમયે તે પર્યાયમાં તદ્રુપ છે, તે પર્યાય પલટીને બીજી પર્યાય થઈ, ત્યારે બીજા સમયે તે પર્યાયમાં તદ્રુપ છે. એ રીતે વસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ ચારેય સમયે સમયે પલટીને નવી નવી અવસ્થાપણે ઊપજે છે, તેથી તેની સાથે જ તેને કારણ-કાર્યપણું છે, પણ બીજાની સાથે કારણ-કાર્યપણું નથી. જુઓ, આ જ્ઞાયકસ્વભાવનું અર્તાપણું ! (૧) જ્ઞાયકસ્વભાવ પરથી તો ભિન્ન, (૨) રાગાદિના ભાવોથી પણ ભિન્ન, (૩) એક પર્યાય, આગળ-પાછળની બીજી અનંત પર્યાયોથી ભિન્ન, (૪) એક ગુણ બીજા અનંત ગુણોથી ભિન્ન, અને (૫) દ્રવ્ય-ગુણને પહેલા સમયે જે પર્યાય સાથે તદ્રુપપણું હતું તે તદ્રુપપણું બીજા સમયે નથી રહ્યું, પણ બીજા સમયે બીજી પર્યાય સાથે તદ્રુપપણું થયું છે. -જુઓ આ સત્યનું શ્રદ્ધાન થવાની રીત ! આ વાત લક્ષમાં લેતાં આખું જ્ઞાયકદ્રવ્ય નજર સામે આવી જાય છે. [૧૯૨] “જીવંત વસ્તુવ્યવસ્થા અને શાયકનું જીવન -તેને જે નથી જાણતો તે મૂઢ માને છે-“મરેલાને જીવતું, ને જીવતાને મરેલું!' જેમ કોઈ અજ્ઞાની પ્રાણી મડદાને જીવતું માનીને તેને જીવાડવા માંગે-ખવરાવવા, પીવરાવવા માંગે, તો કાંઈ મડદું જીવતું થાય નહિ ને આનું દુ:ખ મટે નહિ. (અહીં રામચંદ્રજીનો દાખલો નથી આપતા, કેમ કે રામચંદ્રજી તો જ્ઞાની સમકીતિ હતા.) પણ મડદાને મડદા તરીકે જાણે તો તેની ભમણાનું દુ:ખ ટળે. તેમ પર વસ્તુ સાથે ક્નકર્મપણાનો અત્યંત અભાવ જ છે (મડદાની માફક ) છતાં પરનું હું કરું એમ જે માને છે તે અભાવને અભાવ તરીકે ન માનતાં, પરનો પોતામાં સદ્ભાવ માને છે, તે ઊંધી માન્યતાથી તે દુઃખી જ છે. અથવા, જેમ કોઈ જીવતાને મરેલું માને તો તે મૂઢ છે, તેમ આત્મા જ્ઞાયક-સ્વભાવે જીવતો છે, જ્ઞાયકપણું જ તેનું જીવન છે, તેને બદલે તેને પરનો ર્તા માને છે તે જ્ઞાયકજીવને હણી નાંખે છે, એટલે તે મોટો હિંસક છે. વળી પરવસ્તુ પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy