SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ક્રમબદ્ધપર્યાયઃ ૧૮૩ ઉત્તર- દરેક પદાર્થની ભૂતકાળની પર્યાયો અને ભવિષ્યકાળની પર્યાયો વર્તમાનમાં અવિધમાન-અપ્રગટ હોવા છતાં સર્વજ્ઞ ભગવાન વર્તમાનવત્ પ્રત્યક્ષ જાણે છે. અનંતકાળ પહેલાં થઈ ગયેલ ભૂતકાળની પર્યાયો અને અનંતકાળ પછી થનારી ભવિષ્યની પર્યાયો અવિધમાન હોવા છતાં કેવળજ્ઞાન વર્તમાનવત્ પ્રત્યક્ષ જાણે છે. આહાહા! જે પર્યાયો થઈને ગઈ છે અને જે થઈ નથી એવી ભૂત-ભવિષ્યની પર્યાયોને પ્રત્યક્ષ જાણે એ જ્ઞાનની દિવ્યતાનું શું કહેવું? કેવળી ભગવાન ભૂતભવિષ્યની પર્યાયોને દ્રવ્યમાં યોગ્યતારૂપ જાણે છે એમ નહિ, પણ તે તે પર્યાયો વર્તમાનવ-પ્રત્યક્ષ હોય તેમ જાણે છે. એ સર્વજ્ઞના જ્ઞાનની દિવ્યતા છે. ભૂતભવિષ્યની અવિધમાન પર્યાયો કેવળજ્ઞાનમાં વિદ્યમાન જ છે. આહાહા! એક સમયની કેવળજ્ઞાન પર્યાયની આવી વિસ્મયતા અને આશ્ચર્યતા છે તો આખા દ્રવ્યના સામર્થ્યની વિસ્મયતા અને આશ્ચર્યતાનું કહેવું શું? -આત્મધર્મ અંક ૪ર૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩૪ (પ૬૬) પ્રશ્ન- આત્મા પરમાં તો કાંઈ ફેરફાર ન કરી શકે એ તો ઠીક, પણ પોતાની પર્યાયોમાં ફેરફાર કરવામાં પણ તેનો કાબુ નહિ? ઉત્તર:- અરે ભાઈ ! જ્યાં દ્રવ્યને નક્કી કર્યું ત્યાં વર્તમાન પર્યાય પોતે દ્રવ્યમાં વળી જ ગઈ, પછી તારે કોને ફેરવવું છે? મારી પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે એમ નક્કી કરતાં જ પર્યાય દ્રવ્યમાં અંતર્મુખ થઈ ગઈ, તે પર્યાય હવે કમેક્રમે નિર્મળ જ થયા કરે છે અને શાંતિ વધતી જાય છે. આ રીતે પર્યાય પોતે જ્યાં દ્રવ્યમાં અંતર્મગ્ન થઈ ગઈ ત્યાં તેને ફેરવવાનું ક્યાં રહ્યું? તે પર્યાય પોતે દ્રવ્યના કાબુમાં આવી જ ગયેલી છે. પર્યાય આવશે ક્યાંથી? -દ્રવ્યમાંથી, માટે જ્યાં આખા દ્રવ્યને કાબુમાં લઈ લીધું (-શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારી લીધું) ત્યાં પર્યાયો કાબુમાં આવી જ ગઈ એટલે કે દ્રવ્યના આશ્રયે પર્યાયો સમ્યક નિર્મળ જ થવા માંડી. જ્યાં સ્વભાવ નક્કી કર્યો ત્યાં જ મિથ્યાજ્ઞાન ટળીને સમ્યકજ્ઞાન થયું, મિથ્યાશ્રદ્ધા પલટીને સમ્યગ્દર્શન થયું.-એ પ્રમાણે નિર્મળ પર્યાય થવા માંડી તે પણ વસ્તુનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ ફર્યો નથી ને પર્યાયોના ક્રમની ધારા તૂટી નથી. દ્રવ્યના આવા સ્વભાવનો સ્વીકાર કરતાં પર્યાયની નિર્મળ ધારા શરૂ થઈ ગઈ ને જ્ઞાનાદિનો અનંતો પુરુષાર્થ તેમાં ભેગો જ આવી ગયો. સ્વ કે પર કોઈ દ્રવ્યને, કોઈ ગુણને કે કોઈ પર્યાયને ફેરવવાની બુદ્ધિ જ્યાં ન રહી ત્યાં જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી ગયું એટલે એકલો વીતરાગી જ્ઞાતા ભાવ જ રહી ગયો, તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ. બસ! જ્ઞાનમાં જ્ઞાતાદષ્ટાપણું રહેવું તે જ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy