SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૨૧ હૃદય સુધી પહોંચાડવું તે જુદી વાત છે. આ કાર્ય દરેકના વશની વાત નથી, તેમનામાં તો આ પ્રભાવનાની અપૂર્વ યોગ્યતા હતી. તેમના દ્વારા જે સ્પષ્ટીકરણ થયું છે તેની હોડ કહાનયુગનો કોઈ મનીષી લગાવી શકે તેમ નથી. (૩૯) બહારમાં હરપીસની બળતરા અંદરમાં શીતળતા આજથી લગભગ ૨૧ વર્ષ પહેલાં પગમાં હરપીસનો રોગ થયેલો ત્યારે પણ તેમના મુખમંડલની આભા આનંદમયી દષ્ટિગોચર થતી. “અન્યક્ષેત્રે કૃતમ્ પાપમ, ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, અનાદિ અનંત ચૈતન્ય પ્રાણને વળી કોની સ્પર્શના ! અંદરમાં શીતળતાની પાટ ઉપર અત્યંત મંથર થયેલા છે, જે અતીન્દ્રિય આનંદ પ્રત્યે અત્યંત ઉદાસીન સહજ વર્તે છે, અનંત શાંતિમય વૈભવમાં બિરાજમાન છે, તેને અશાંતિ કેવી? કર્મોની સંતાન પણ તડતડ નિર્જરી જાય છે. પૂ. ગુરુદેવશ્રી આ પ્રસંગને યાદ કરી અને કહે છે કે આપણા લાલચંદભાઈ (વૈરાગ્ય) વૈરાગીમાં વસે છે. એના શરીરમાં ફોળા (હરપીસ) છે, અહીં હમણાં રહી ગયા. દવા માટે મુંબઈ જવું પડયું, ફોળામાં બળતરા........ બળતરા અગ્નિના તણખા, તેવું થયું છે. (સ. સાર. ગાથા ર૬૩, ૬૪, ૬૫, તા. ૨૮-૮-૭૯ પ્ર. નં. ૩ર૩) (૪૦) પ્રતિભાશાળી પૂ. ભાઈશ્રી: અધ્યાત્મ આકાશના મહાન નક્ષત્રથી જૈન સમાજની કઈ વ્યક્તિ અનજાન છે? એવી કોણ વ્યક્તિ હશે કે જેમણે પૂ. ભાઈશ્રીનું નામ સાંભળ્યું ન હોય? એવો કોણ મુમુક્ષુ હશે કે જેમણે પૂ. ભાઈશ્રીના મુખારવિંદથી વરસતી શુદ્ધાત્મ વર્ષાનું અમૃતપાન ન કર્યું હોય? પછી તે ભલે સાધક હોય, તત્ત્વ જિજ્ઞાસુ હોય, આદર્શ આત્માર્થી હોય કે ક્રિયાકાંડ મગ્ન હોય, તે સમર્થક હોય કે વિરોધક હોય, પરંતુ સમસ્ત મુમુક્ષુ સમાજ તેમના વ્યક્તિત્વ અને કર્તુત્વથી ચિરપરિચિત છે. તેમની અધ્યાત્મ વાણીની છાપ સમગ્ર મુમુક્ષુ જગત પર છવાઈ ગઈ હતી. અધ્યાત્મ લોકના જૈન મુમુક્ષુ સમાજ ઉપર તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વની ઊંડી છાપ દરેકના હૃદયમાં પ્રતિબિંબિત છે. દરેક મુમુક્ષુ પોતાની ભાવના વ્યક્ત કરે કે ન કરે, પરંતુ તેના આત્માના પ્રદેશોને ઢંઢોળવામાં આવે તો ? તેના અંતરંગ અભિપ્રાયને ભાષાવર્ગણાના તોલથી તોલવામાં આવે તો? ધ્રુવ સત્યની જાહેરાત કરતો એક જ બુલંદ અવાજ કર્ણપટલ ઉપર સાંભળવા મળશે કે.......! પૂજ્ય ગુરુદેવ પછીની જૈનશાસનની અમર વ્યક્તિ હોય તો તે પૂ. ભાઈશ્રી લાલચંદભાઈ છે. તેમનો જન્મ પૂ. ગુરુદેવશ્રીની વાણીનું રહસ્ય પ્રકાશિત કરવા માટે જ જાણે ન થયો હોય !? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy