SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૪૯ ચર્ચા નં. ૫ જામનગ૨ તા. ૧૯-૯-૯૧ પ્રકાશ કઈ નયથી સૂર્યને પ્રકાશે છે? સ્વભાવથી જ સૂર્યને પ્રકાશે છે, એમાં નયની જરૂર પડતી નથી. એમ ક્યું. એ પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે. કઈ નયથી? અરે ! સ્વભાવથી જ પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે. હવે જ્યાં સ્વભાવથી જ છે ત્યાં નય લાગુ પડતી નથી. વ્યવહારનય કે નિશ્ચયનય તેની કાંઈ જરૂર પડતી નથી. સ્વભાવથી જ વિચારે એને જરૂર પડતી નથી. નયો તો માત્ર શિષ્યને સમજાવવા માટે છે. બહુનયોના પ્રયોગમાં જવા જેવું નથી. નયોના પ્રયોગ શરૂઆતમાં હોય, પણ તેમાં રોકાવા જેવું નથી. નય છે ને એ માનસિક વિકલ્પ છે. એટલે એને ત્યાં સુધી અનુભવ ન થયો. એને નય દ્વારા સમજાવે છે પણ નયથી અનુભવ થતો નથી. જો જ્ઞાન નયોના પ્રયોગમાં અટકશે એમ. જો જ્ઞાન નયોના પ્રયોગમાં અટકશે તો બીજી પ્રતિપક્ષ નય કહ્યા વગર ઊભી થશે. આત્મા નિશ્ચયનયે અકર્તા છે, એમાં વિકલ્પ ઊભો થશે. નિશ્ચયનયે અકર્તા છે, તો વિકલ્પ થશે કે; જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે. આ બીજો પ્રકાર. પહેલાં દ્રવ્યમાં નિશ્ચયનય ઉતાર્યું, પછી જ્ઞાનની પર્યાયમાં નિશ્ચયનય ઉતારે છે. જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે; એમાં પણ વિકલ્પ ઉત્પન્ન થયો. નિશ્ચયનયે આત્મા અકર્તા નથી, નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણતું નથી. અરે! આ શું!! નિશ્ચયનયે આત્મા અકર્તા નથી? કે: ‘ના.' નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણતું નથી ? કેઃ ‘ ના ’. આ શું વાત કરો છો? અમે તો આજ દિવસ સુધી નિશ્ચયનયે અકર્તાઅભોક્તા સાંભળ્યું હતું ! આત્મા નિશ્ચયનયે અકર્તા છે એમ નથી. જ્ઞાન આત્માને નિશ્ચયનયે જાણે છે એમ પણ નથી. નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણતું નથી. આ શું? આ શું વાત કરો છો ? ‘હા’ સાંભળ સાંભળ ભાઈ ! નિશ્ચયનયે આત્મા અકારક-અવેદક નથી. એ તો સ્વભાવથી જ અકા૨ક ને અવેદક છે. અકર્તા ને અભોક્તા છે. અકર્તા ને અભોક્તાપણું એ આત્માનો મૂળ સ્વભાવ છે. ફક્ત શિષ્યોને સમજાવવા માટે નયોનો પ્રયોગ કરવામાં આવે છે. અને નયના પ્રયોગથી પ્રમાણમાં આવી જાય છે. નય છે ને એ સાપેક્ષ છે. તે નિશ્ચયનયથી અકર્તા એમ કહે, એટલે વ્યવહારનયે કર્તા છે એમ એને કહેવું જ પડે. કેમકે અજ્ઞાન દશાએ રાગનો કર્તા અને ભેદજ્ઞાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy