SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૮૯ (એટલે આ કર્તાનનો વિકલ્પ છૂટી જાય અને અકર્તાનનો વિકલ્પ છૂટી જાય. એકલો સ્વભાવ-સ્વભાવ. આ તો કહેવાય નહીં એવી વાતો છે. સકલનો છૂટી જવાની વાત છે આ.) ઓળંગી જવાની વાત છે. (શ્રોતા-આ તો મહાન વાતો છે. ) (શ્રોતા-પંચ રત્નની ગાથામાં જેમ હું કરતો નથી હું કરાવતો નથી એવી રીતે આ કર્તાનનો ઉપચાર આવે છે એનો હું કર્તા નથી, કરાવતો નથી, અનુમોદક નથી. પર્યાયને સ્વભાવથી જો. થવા યોગ્ય થાય છે અને હું તો જાણનારને જાણું છું ) આ નયે (કર્તાન) કરું છું અને આ નયે (અકર્તાનયે) નથી કરતો એમ નથી. (કરે છે ઈ પણ એના સ્વભાવથી જ કરે છે. નથી કરતો ઈ પણ એના સ્વભાવથી જ નથી કરતો એટલે એમાં કોઈ વિકલ્પ જ નથી.) નયો તો સમજવા માટે છે. નયોને વળગવા જેવું નથી. તેથી નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. અનુભવમાં નયો ન હોય. (એટલે તેનો અભાવ થાય છે. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી.) આજની ચર્ચા બહુ સારી છે. સીમંધર પ્રભુ બહુ યાદ આવ્યા અત્યારે. “થવા યોગ્ય થાય છે ને જાણનારો જણાય છે.” હવે જેણે બોધ આપ્યો હું! અને બોધ ઊગી નીકળ્યો. આ “જ્ઞાનનું જ જ્ઞાન” થાય છે. અતિ અપૂર્વ છે. કહેવાય નહીં પણ અપૂર્વ છે. આવી ચર્ચાઓ (છેલ્લા) ૫00 વર્ષમાં ક્યાંય દેખાતી નથી. આ ત્યાંનું છે. અમારું આમાં કાંઈ નથી. બધું પ્રભુનું છે. આ બે વાત પણ ત્યાંથી આવી છે તે બરોબર છે. અનંત દુ:ખનું મૂળ કારણ કબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિ છે. ઉપચારથી પણ કર્તાને આગળ કરે છે શું કહ્યું? ઉપચારથી પણ કર્તાને આગળ કરે છે. ઉપચારથી તો કર્તા છે ને? નિશ્ચયનયથી કર્તા ન હોય તો કાંઈ નહીં પણ કર્તાનયે તો કર્તા છે ને? (કર્તાનયે કર્તા છે ને? કર્તબુદ્ધિ (પ્રથમ) જાય છે. પછી કર્તાનયે તો કર્તા છે ને? એમ આવે. પછી અકર્તાનયે એનો જ્ઞાતા છે. એટલે એનો સાક્ષી છે. એટલે એને કરતો નથી, આ જ્ઞાતાનો ઉપચાર આવ્યો. કર્તબુદ્ધિ પણ જાય છે ને જ્ઞાતાબુદ્ધિ પણ જાય છે. પછી કર્તાનયે કરે છે અને અકર્તાનયે એનો સાક્ષી છે. એટલે કે એને જાણે છે. તો આ બને તો ઉપચાર થયા.) સારી વાત છે. (શ્રોતા-કર્તા બુદ્ધિની જગ્યાએ હવે કર્તાનય આવી ગઈ અને જ્ઞાતાબુદ્ધિ તો ગઈ. હવે જ્ઞાતાબુદ્ધિની જગ્યાએ અકર્તાનય આવી છે, અકર્તાનયે સાક્ષી છે એટલે કે એનો જ્ઞાતા છે. એનો જ્ઞાતા છે એ ઉપચાર છે. આમાં તો ભંડાર ભરેલો છે.) કર્તાનયે રાગને કરે છે અને અકર્તાનયે એનો સાક્ષી છે. એટલે એનો જ્ઞાતા થયો. એટલે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008236
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1999
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy