SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ પ્રવચન નં-૨ પ્રથમની અવસ્થામાં અમને અપ્રતિબુદ્ધને સમજાવવાનો કરુણાનો ભાવ બુદ્ધિએ આવ્યો હતો. હેયબુદ્ધિએ...આવ્યો હતો! મેં કર્યો નહોતો કરુણાના ભાવને! કરુણાનો ભાવ આવતો' તો, એ કાળમાં પણ હું એ કરુણાના ભાવનો કર્તા તો થતો નહોતો પણ એ પણ જ્ઞાનનું જ્ઞય વ્યવહારનયે થતું હતું. ત્યારે મારું લક્ષ જરી, અપ્રતિબુદ્ધ-અજ્ઞાની પ્રાણીઓને સમજાવવા તરફ જતું હતું. જ્યારે કુંદકુંદભગવાનને અતીન્દ્રિય આનંદનો ઊભરો આવ્યો આનંદનું ભોજન કરતા 'તા ત્યારે એમને એમ (કરુણાનો ભાવ આવે છે કે ) આહા ! અજ્ઞાની પ્રાણીઓ (સંસારમાં ડૂબેલા) દુ:ખનું વેદન જ કરી રહ્યા છે, આહાહા ! એને પણ હું દ્રવ્યદષ્ટિએ જોઉં છું તો એ સર્વ મારા સાધર્મી છે. અને એની અવસ્થાનું દુઃખ હું જોઉં છું તો મને (વીતરાગી) કરુણાનો ભાવ આવે છે. એટલે સમયસાર આદિ સશાસ્ત્રો અપ્રતિબુદ્ધને સમજાવવા લખ્યા, પ્રાથમિક ભૂમિકામાં પ્રથમ અવસ્થામાં, અને ઉત્તરઅવસ્થા આવી એમને જ્યારે, ત્યારે આ નિયમસાર શાસ્ત્ર લખે છે પોતે હું નિજભાવનાના અર્થે આ શાસ્ત્ર લખું છું. જુઓ (છેલ્લી ગાથા) એકસો સતાસી ગાથા મૂળમાં છે. णियभावणाणिमितं मए कदं णियमसारणामसुदं। णच्चा जिणोवदेसं पुव्वावरदोसणिम्मुक्कं ।। १८७।। અન્વયાર્થ:- પૂર્વાપર દોષ રહિત જિનોપદેશને જાણીને-જિનેન્દ્ર ભગવાનના ઉપદેશને જાણીને, જાણીને એટલે અનુભવીને, જાણીને એટલે સાંભળીને નહીં તેમ જ મનમાં ધારીને પણ નહીં પણ શુદ્ધઆત્માની સન્મુખ થઈને, અનુભવીને......મેં નિજ ભાવનાના નિમિત્તે-આ નિયમસાર શાસ્ત્રની રચના કરી છે ને.....હવે અપ્રતિબુદ્ધને સમજાવવાનું નિમિત્ત આમાં નથી, કેમકે શાસ્ત્ર રચના લખતી વખતે હેતુ, પ્રયોજન, કારણ, નામ એવા ઘણા પ્રકારો આવે એમાંથી નિમિત્તની વ્યાખ્યા છે કે મેં જે આ શાસ્ત્રની રચના કરી છે એ નિજ ભાવનાના નિમિત્તે એટલે કે શુદ્ધઆત્મા મારો છે એમાં હું વારંવાર લીન થઈને (એકાગ્ર થઈને) મારો ઉપયોગ એમાં લીન થઈ જાય, એને નિર્વિકલ્પ ભાવના કહેવામાં આવે છે. સવિકલ્પ ભાવના, એ દુઃખરૂપ છે. નિર્વિકલ્પ ભાવના (આનંદમયને) સુખરૂપ છે. મેં નિજભાવના નિમિત્તે નિયમસાર નામનું શાસ્ત્ર રચ્યું છે. અપ્રતિબુદ્ધને સમજાવવાનો હેતુ મારો અત્યારે નથી, એ પ્રત્યે મારું લક્ષ જ નથી. અપ્રતિબુદ્ધને સમજાવવાનું લક્ષ પ્રથમ અવસ્થામાં હતું એ છૂટી ગયું! એ એટલો કરુણાનો (ચારિત્ર) દોષ હતો, હવે તો નિજ કરુણાનો ભાવ મને વર્તે છે! ઉગ્ર વીર્ય ઉલ્લસિત થઈ ગયું છે, કરુણા તો ખરી જ, પણ આ વીતરાગી કરુણા અને ઓલી શુભભાવરૂપની કરુણા હતી. એ ક્ષણિકભાવ, હવે આવશે નહીં. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy