SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય... કલમે... પ્રારંભિક મંગલાચરણ: “અહો ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો: જિનકુંદ ધ્વનિ આપ્યાં, અહો! તે ગુરુ કહાનનો.” આજથી લગભગ બે હજાર વર્ષ પૂર્વે તપોધન આચાર્ય કુંદકુંદ થયા. તેઓશ્રીએ નિજભાવના અર્થે નિયમસાર શાસ્ત્રની રચના કરી. જે નિજભાવના અર્થે શાસ્ત્રની રચના થઈ હોય તે શાસ્ત્ર ઘણું અપૂર્વ અને ઉંચ કોટીનું હોય, તેમજ તે શાસ્ત્ર તેમની ઉત્તરાર્ધ અવસ્થામાં લખાયેલું હોવાથી કેવળ સ્વરૂપમાં ઠરવાની ભાવના ઉછળે છે કે ભેદનો કર્તા નથી કારણ નથી, કારયિતા નથી, અનુમોદક નથી તેવા પરમાર્થતત્ત્વની અમૃત વર્ષા વરસાવતાં ચૈતન્યની વસંતથી સારી સૃષ્ટિમાં અધ્યાત્મની હરિયાલી છવાઈ ગઈ અને શિતલ રત્નત્રય મલયની મહેક ફોરી ઉઠી. નિયમ નામ મોક્ષમાર્ગ; જે સ્વના આશ્રયે દર્શન-જ્ઞાન-ચારિત્ર સાર એટલે કે ભેદની તેને કોઈ અપેક્ષા નથી. નિરપેક્ષ છે માટે નિયમસાર છે. આચાર્ય કુંદકુંદના નભમંડળમાં અવિચળ પ્રકાશમાન, ચૈતન્યના વિલાસમાં જેમની ચેતના સંસ્થિત છે તેવા પદ્મપ્રભમલધારિદેવ કે જેમની કલમ ચૈતન્યસત્તાને નિહાળી નિહાળીને ચાલે છે તેમના દ્વારા પરમાગમની ધારા નિર્જરી. તેઓશ્રી ફરમાવે છે કે અમને તીર્થકર પ્રકૃતિનો બંધ થાય તેવો ઉત્કૃષ્ટ શુભભાવ પુદ્ગલકર્મ રચે તો ઠીક અને તેના કારણે હું તીર્થકર થાઉં તો ઠીક તેવી અનુમોદના હું આપતો નથી. પુલકર્મ તીર્થંકર પ્રકૃતિ બાંધે છે તેમ હું જાણું છું પણ હું તેનો કર્તા, કારયિતા, કારણ કે અનુમોદક નથી. અધ્યાત્મના વિશ નિલય પૂ. ગુરુદેવશ્રી: ચૈતન્યના વિલાસમાં જેમની ચેતના સંસ્થિત છે તેવા આ યુગના મહાન તત્ત્વસૃષ્ટા અધ્યાત્મયોગી શ્રી કાનજીસ્વામીએ મોક્ષમાર્ગના સ્વરૂપને પુનઃ ઉદ્ઘાટિત કર્યું. આ જ્ઞાનભાનુનો ઉદય થતાં જ લાયક જીવોના નિર્મલ ચિત્તમાં “હું પરમાત્મા છું” તેવું અનુષ્ઠાન થયું અને મોહ તિમિર અસ્ત થવા લાગ્યો. તેઓશ્રી આ ગાળામાં ફરમાવે છે કેઃ ચૌદમાર્ગણાસ્થાન, ચૌદગુણસ્થાન, ચૌદજીવસ્થાન આદિ ભેદોથી ભરેલા વિભાવ પર્યાયોનો હું નિશ્ચયથી કર્તા નથી. આહા ! રાગનો તો કર્તા નથી પણ... ભેદોનોય કર્તા નથી. અભેદમાં ભેદ ભાસતા નથી. જ્ઞાનની અવસ્થા આદિનો ભેદ કે ગુણ-ગુણીનો ભેદ, અભેદમાં ભાસતો નથી. હું ભેદનો કર્તા નથી, કારણ નથી, અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy