SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચૈતન્ય વિલાસ ૧૮૩ કર્તા છું એમ માને છે એ અજ્ઞાન છે પ્રભુ! આહા...હા! એ...કેવળ જ્ઞાતા છે! ! આહા! આ આત્મા જે રખડે છે ચારગતિમાં, એનાં બે કારણ છે...બે કારણ છે એમાં એક કર્તાબુદ્ધિ અને એક જ્ઞાતાબુદ્ધિ! પરિણામનો હું કર્તા છું ને પરિણામનો જ્ઞાતા છું-એ બેય બુદ્ધિ મિથ્યા છે. એ કર્તાબુદ્ધિ છૂટે છે ને એને-પરિણામને શેય બનાવવાનું ય છોડ છે, અને જ્ઞાયકસ્વભાવ શેય થાય છે ત્યારે અંતર્મુખ થઈને એને (નિજનો) અનુભવ થાય છે. અને અનુભવ થાય એને સાધકદશા કહેવાય અને પરિપૂર્ણ મોક્ષ અવસ્થા પ્રગટ થાય એને સાધ્ય કહેવાય. ધ્યેય તો પરમાત્મા અંદર બેઠો છે (ધ્રુવ છે) એ ધ્યેય છે સાધક થયો એ અંત્તરાત્મા સાધક છે, સાધ્ય તો (પરિપૂર્ણ) મોક્ષની અવસ્થા છે. ઈ સાધક અને સાધ્યની વચ્ચેનો ગાળો, કોઈને તો બે ઘડીમાં મોક્ષ થાય, કોઈને ટાઈમ પણ લાગે! તો...સાધક અવસ્થામાં નિર્મળપર્યાયનો આત્મા કર્તા છે એવો ઉપચાર પણ આવે. નિર્મળપર્યાય અને થોડો રાગ આવે એને જાણે, એવો પણ ઉપચાર આવે. (એક) કરવાનો ઉપચાર, બીજો જાણવાનો ઉપચાર આવે. ઉપચાર એટલે ખોટું, એને સાચું ન માનવું. (સાધકને ) ઉપચારથી કર્તા કહેવાય ને ઉપચારથી જ્ઞાતા કહેવાય. પછી એ સાધકને શ્રેણી આવે છે, શ્રેણી આવીને પરમાત્મદશા કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે તે એ બેય પ્રકારના ઉપચારને ઓળંગી જાય છે. (સાધકને શ્રદ્ધા તો એવી છે કે:) નિર્મળપર્યાયનો ઉપચારથી એટલે કે વ્યવહારથી પણ કર્તા હું નહીં, આહાહા ! આથી. પરિણામ ઉપરથી ઉપયોગ છૂટીને અંદરમાં આવે છે અકર્તા એવા જ્ઞાયક તરફ! પરિણામનો હું જ્ઞાતા છું એવો ઉપચાર આવતો” તો ત્યાંથી લક્ષ છૂટી, જ્ઞાયક જ જ્ઞાનમાં અભેદભાવે ય થઈ જાય છે. ત્યારે શ્રેણી આવે ને અંતર્મુહૂર્તમાં તો અરિહંત દશા પ્રગટ થાય છે એવી અપૂર્વ વાત છે. આ ઉપચારના નિષેધની ગાથા (ઓ) છે. કર્તાપણાનો ઉપચાર આવતો 'તો કુંદકુંદભગવાનને એય ખટક્યો. કર્તા બુદ્ધિ તો ગઈ ચોથાગુણસ્થાને, છાગુણસ્થાને કર્તાનો ઉપચાર આવતો 'તો તેથી પરમાર્થ પ્રતિક્રમણ શુદ્ધઉપયોગ પ્રગટ થતો નહોતો, એ શુદ્ધોપયોગ પ્રગટ કરવા માટે લખ્યું એમણે, હું પરિણામનો ઉપચારથીય કર્તા નથી. એમ અપૂર્વ વાત છે, સમજવા જેવી છે. ( સમજવાનો ) પ્રયત્ન કરવાથી સમજાય, ન સમજાય એવું છે નહીં. જુઓ આમાં (ટકામાં) માર્ગણાસ્થાનો (કહ્યા) છે ને! એનાં ભેદો બધા અગાઉ આવી ગયા છે. શુદ્ધભાવ અધિકારમાં ઘણે ભાગે છે, ગાથા-૪૨માં છે “ચૌદ ભેદવાળાં માર્ગણાસ્થાનો તથા તેટલા (ચૌદ) ભેટવાળાં જીવસ્થાનો કે ગુણસ્થાનો શુદ્ધનિશ્ચયનયથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy