SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચૈતન્ય વિલાસ સંકલિત્... કલમે... ચૈતન્યમૂર્તિના ઉપાસક, પરમાગમોના દિગ્દર્શક, ભરતક્ષેત્રને આધ્યાત્મિક જ્યોતિથી ઉજમાળ કરનાર પૂ. ગુરુદેવશ્રી મોક્ષમાર્ગાનુગામી થયા. તેઓશ્રી કળશટીકા ૨૦૧ કળશમાં ફરમાવે છે કે: સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે. તેને રાગનો કર્તા પોતાની પર્યાયનો કર્તા કહેવો તે પણ ઉપચાર છે નિર્મળ પર્યાયનો કર્તા કહેવો તે પણ ઉપચાર છે. નિર્મળ પર્યાય કાર્ય અને આત્મા કર્તા તે પણ ભેદ પડી ગયો જેમાં. તેને પણ ઉપચારથી નિર્મળતાનો, નવી પરિણતિનો કર્તા કહેલ છે. જે અવસ્થા ત્રિકાળીના અવલંબનથી થાય છે છતાં પણ તે પર્યાયનો કર્તા દ્રવ્ય નથી. વસ્તુને પર્યાયનો કર્તા ઉપચારથી-વ્યવહારથી કહેવામાં આવે છે. (તા. પ/૨/૭૮ નાં પ્રવચનમાંથી) પૂ. ગુરુદેવશ્રીનું સાનિધ્ય પ્રાપ્ત કરી જેમની દૃષ્ટિ નિર્મળ થઈ છે, તેમજ દિગમ્બર દર્શનના પ્રકાંડ વિદ્વાનોમાં શિરમોર છે, તેમજ જેમની, આધ્યાત્મિક શૈલીથી જન સમુદાય ચિર-પરિચિત છે તેવા પૂ. “ભાઈશ્રી' લાલચંદભાઈના પ્રવચનોની પંક્તિનું સર્જન એટલે “ ચૈતન્ય વિલાસ” કે જે અકર્તા જ્ઞાયકભાવની ઉર્ધ્વતાને સ્પર્શ કરી રહ્યો છે. આપશ્રી ઘણી વખત કહેતા કેઃ પૂ. ગુરુદેવશ્રીના જીવન દોહનનો સારભૂત મહામંત્ર તેમજ જિનાગમનો સર્વોત્કૃષ્ટ મંત્ર “આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે.” પૂ. ગુરુદેવશ્રીના નેવું વર્ષમાં ૪૫ વર્ષ પરિવર્તનના થયા તેને અને તેમના આત્મ અનુભવના નિચોડરૂપ, તેમજ બારસંગમાં સારભૂત, બાર અંગમાં ઊંચામાં ઊંચી વાત, આગમ અધ્યાત્મને સારરૂપ આ મંત્ર છે. આગમ અધ્યાત્મને આનાથી વધારે કાંઈ કહેવું જ નથી. વૈશાખી ઉનાળાનો ધગધગતો વાયરો વાતો હોય કાળઝાળ ગરમી ફેલાવતો સૂર્યનો પ્રખર તાપ વરસી રહ્યો હોય ત્યારે કોઈ કાળી વાદળી અનાયાસે આકાશમાં ચડી આવી અનરાધાર વરસી જાય તો કેવી પ્રસન્નતા થાય?! કેવો આહલાદ્દ થાય !? તેની કલ્પના કરવી પણ ખરેખર મુશ્કેલ છે. તેને તો માત્ર અનુભવી જ શકાય છે. મુક્તભાવે માણી શકાય છે. તેમ કર્તુત્વરૂપી કષાયના તાપથી બળી રહેલા પ્રાણીઓના જીવનનું અન્વેષણ કરવામાં આવે તો !! તેઓ પ્રતિ સમય કંઈ ને કંઈ કરવાનું જ વિચારતા હોય છે. કર્તુત્વની ભઠ્ઠીમાં સેકાતા હોય છે. તેની પ્રત્યેક પળ કર્તાબુદ્ધિના અહંકારથી વ્યતિત થતી હોય છે. આવા કળિયુગમાં પણ ભરતખંડના જીવોને અલભ્ય-દુર્લભ યોગ પ્રાપ્ત થયો છે. જ્ઞાતાભાવની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy