SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ પ્રવચન નં-૯ સમયસાર નિયમસાર બે અધ્યાત્મની પરાકાષ્ટા છે. જેમ આત્માની જ્ઞાન-દર્શન બે આંખ છે તેમ તેવા આ બે શાસ્ત્ર છે. પ્રવચનસાર જ્ઞાનપ્રધાન-શેયપ્રધાન છે, આ દષ્ટિ પ્રધાન, દષ્ટિ સાચી થાય એણે પ્રવચનસાર વાંચી લીધું. રાજકોટ વિડિયો કેસેટ નં-૬૨ સાંજનું પ્રવચન નં-૯ તા. ૧૪-૮-૮૮ શ્રી નિયમસારની ૮૩ નંબરની ગાથામાં એમ લીધું કે: વચન રચનાને છોડીને એટલે મૌન થઈને; દ્રવ્યને ભાવે છે એટલે મૌન થઈ જાય છે. રાગાદિ ભાવોનું નિવારણ કરે છે. તમામ પ્રકારના વિકલ્પો છૂટી જાય છે. જે આત્માને ધ્યાવે છે એટલે ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ધ્યાવે છે, ભાવે છે. તેને પ્રતિક્રમણ હોય છે એમ ૮૩ ગાથામાં નીકળ્યું. ૭૭ થી ૮૨ સુધીમાં આ નહતું. ટીકાકારે આ ક્યાંથી કાઢયું? કે કુંદકુંદ ભગવાન પાસે એણે એ ભાગ લીધો, કે. કુંદકુંદ ભગવાન આ ભાવ ૮૩ ગાથામાં કહેવાના છે તેને હું અત્યારથી શરૂ કરી દઉં. કેમકે પરમાર્થ પ્રતિક્રમણ તો શુદ્ધ આત્માને ધ્યાવ્યા વિના તો થતું નથી, અને પરમાર્થ પ્રતિક્રમણ કેમ થાય છે એ તો કહેવું છે; તો તેઓ ૮૩ ગાથામાં કહેશે એ (ભાવ) હું પહેલેથી જ પાંચ ગાથામાં કહી દઉં છું. મૂળ પાંચ ગાથામાં એ વાત કાંઈ નથી. “રચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને; જે જીવ ધ્યાને આત્માને, તે જીવ પ્રતિક્રમણ છે.” (૮૩) અહીંયા પ્રતિક્રમણ આ રીતે થાય છે આત્માને ધ્યાવવાથી ભાવવાથી એ ૮૩ ગાથામાં કહીશ. ૭૭ થી ૮૧ માં ક્યાંય મૂળમાં ન આવ્યું. ૮૨ ગાથામાં થોડી છાયા આવે છે કે: “એ માધ્યસ્થ થાય છે.” “આ ભેદના અભ્યાસથી, માધ્યસ્થ થઈ ચારિત્ર બને; પ્રતિક્રમણ આદિ કહીશ હું ચારિત્ર દઢતા કારણે.” (૮૨) જુઓ! અહીંયા ભેદ અભ્યાસ ફરીથી ચારિત્ર માટે કરે છે. એટલે કે સમ્યકદર્શન માટે ભેદજ્ઞાનની અપેક્ષા નથી, તે તો થઈ ચૂકયું છે. કર્તાબુદ્ધિ તૂટી ગઈ છે પણ અસ્થિરતા હજુ ખસી નથી. અસ્થિરતાથી ભિન્ન છું એવું ભાન થઈ ગયું છે પણ અસ્થિરતા હજુ પર્યાયમાં થયા જ કરે છે એટલે ચારિત્ર થતું નથી. છઠ્ઠી ગુણસ્થાનને મુનિરાજ ચારિત્ર કહેતા નથી, શુદ્ધોપયોગને જ ચારિત્ર કહે છે. શુદ્ધઉપયોગ એ જ ચારિત્ર છે. હવે કહે છે હું ભેદ અભ્યાસ કરું છું. ભેદ અભ્યાસ કરતા શું થયું? મધ્યસ્થ થઈ ગયો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy