SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧/૪ પ્રવચન નં-૮ અને અજ્ઞાનીની નજર પર્યાય ઉપર છે, પર્યાયદષ્ટિથી પાણી ઉનું કહે છે, દ્રવ્યદૃષ્ટિથી જ્ઞાનીઓ કહે છે કે પાણી શીતળશીતળ અને શીતળ. ઉષ્ણતા અગ્નિની છે પાણીની નથી. આ કોને પડી છે-નિશ્ચય શું ને વ્યવહાર શું ને ઉપાદાન શું ને નિમિત્ત શું? છે તો સાવ સાધારણ થોડું છે કાંઈ ઝાઝું નથી. આચાર્ય ભગવાન કહે છે વધારેમાં વધારે છ મહિના તું આત્માનો રુચિપૂર્વક અભ્યાસ કરે તો તને આત્માની પ્રાપ્તિ થશે, અનુભવ થશે. આ પંચમકાળમાં આત્માનો સાક્ષાત્કાર થાય છે ભગવાનના દર્શન થાય છે. ભગવાન તો દર્શન દઈ રહ્યો છે પણ આ લેતો નથી. લે એટલી વાર છે. આહાહા! બાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે; આહા ! હુજી અનુમાનમાંય ન આવે તો અનુભવ તો ક્યાંથી આવે ? જણાઈ રહ્યો છે ભાઈ ! તમે આત્મા જણાઈ રહ્યો છે. શું કહ્યું? આ પહેલા બોલની વાત થઈ. વ્યવહારે આરંભ પરિગ્રહ પર્યાયમાં થાય, પણ એ વખતે આચાર્ય ભગવાન કહે છે કે “નિશ્ચયનયના બળે મને” એ ભાવોનો મારામાં ત્રિકાળ અભાવ છે. હું તો ત્રણેય કાળ શુદ્ધ રહેલો છે. ત્રણેયકાળ આરંભ પરિગ્રહના પરિણામ વખતે એ પરિણામનો હું અકર્તા છું. તો એ પરિણામને કાં પર્યાય પર્યાયને કરે છે, અને કાં એ પર્યાયને પુદ્ગલ કરે છે. અહીંયાં પુદ્ગલ કરે છે હું કરતો નથી, પુગલ પાસે કરાવતો નથી, અને પુદગલ કરે છે અને હું અનુમોદન આપતો નથી ટેકો આપતો નથી. એવી અપૂર્વ વાત કરે છે. ' પૂર્વે નારક પર્યાય કરી નથી; કરાવી નથી, અને અનુમોદન કરતો નથી. અને એના કારણરૂપે આરંભ પરિગ્રહું હતો એનો પણ હું ભૂતકાળમાં કરનાર ન હતો મેં માન્યું 'તું! પણ હું કર્તા-કારણ ન હતો એમ આજે ખબર પડી. એ વખતે પુદ્ગલ કરતો 'તો ને માનતો 'તો કે મેં કર્યું. પણ આજે ખબર પડી કે ત્રણેકાળ પરિણામ પુદ્ગલ કરે છે. કેમ? કે અકર્તાને કર્મ ના હોય, કર્તાને કર્મ હોય. અકર્તાને કર્મ કહો તો અકર્તા રહેતો નથી. અને આત્મા ત્રણેકાળ અકર્તા રહી ગયો છે સુમનભાઈ ! સુક્ષ્મવાત છે જરા ! આ ૪૫-૪૫ વર્ષ ગુરુદેવનો ઉપદેશ એ હતો કે દષ્ટિનો વિષય દૃષ્ટિમાં લે! શ્રદ્ધામાં લે ! પાંદડા તોડ્યા પણ મૂળિયું સાજુ રાખ્યું. નારકીનો એક બોલ થયો હવે બીજો બોલ. “તિર્યંચ પર્યાયને યોગ્ય માયા-મિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે-હું સદા તિર્યંચ પર્યાયના કર્તુત્વ વિહિન છું.” “સદા” શબ્દ વાપર્યો છે. કેઃ તમે તિર્યંચ પર્યાય પૂર્વે કરી 'તી ને? અત્યારે તમે તિર્યંચ નથી, અત્યારે તમે મનુષ્ય પર્યાય કરી છે તેમ અજ્ઞાની કહે હોં ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy