SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદજ્ઞાન-ભજનાવલી પધારેલ ત્યારે સ્વાધ્યાય મંદિરમાં જાહેરમાં આપનું પ્રવચન થયું જેમાં 1 એકલી અધ્યાત્મની અંતર્મુખી ભેદજ્ઞાનની ધારાવહી ત્યારે અમ મુમુક્ષુઓના હૃદય નાચી ઉઠયા. તેઓશ્રીની તલસ્પર્શીવાણીથી જ બધાને ખ્યાલ આવી ગયો કે આ બેનનો આત્મા કોઈ જુદી જાતનો છે. શ્રી વિદેહવાસી જીવંતસ્વામી શ્રી સીમંધર સ્વામીનું સમવસરણ તથા કૃપાળુ ગુરુદેવશ્રીના સ્મૃતિસ્મારકના શિલાન્યાસ પ્રસંગે પૂ. ભાઈશ્રી તથા આત્માર્થી સંધ્યાબેન પધારેલ. પૂજ્ય ભાઈશ્રીના પ્રવચન પછી આત્માર્થી સંધ્યાબેનને ગુરુભક્તિ માટે વિનંતિ કરી, જ્યારે તેઓશ્રીના શ્રી મુખેથી અધ્યાત્મરસથી તરબોળ પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યેની ભક્તિ સાંભળીને પધારેલ મુમુક્ષુઓના હૃદય ભરાઈ આવ્યા. અને બધા મુક્ત કંઠે કહેવા લાગ્યા કે પૂ. ગુરુદેવશ્રીને અંતરમાં બિરાજમાન આ બહેને કર્યા છે. તે પ્રસંગે પૂજ્ય ભાઈશ્રીના હૃદય ઉદ્ગાર નીકળેલ કે પૂજ્ય ગુરુદેવશ્રી એકલા સોનગઢ, સૌરાષ્ટ્ર કે ગુજરાતના નથી રહ્યા પરંતુ સારા ભારતમાં નાના ગામડાઓમાં પણ હૃદયે વસી ગયા છે. ભાઈ ! ક્ષેત્ર નિકટતા કરતાં ભાવથી નિકટતા અતિ મહત્વની છે. જેનો આ નમૂનો છે. પૂ. ભાઈશ્રી તથા આત્માર્થી સંધ્યાબેન તથા નિલમબેન અમારા નિમંત્રણને સ્વીકારીને પધારે છે અને પૂ. ભાઈશ્રીના પ્રવચન તથા આત્માર્થી સંધ્યાબેનના પ્રવચન તેમજ ભેદજ્ઞાનથી ભરેલા ભજનો સાંભળી અમારું મંડળ તત્ત્વરસથી ઓતપ્રોત થયું છે. બેનના શ્રીમુખેથી ભજન સાંભળી અધ્યાત્મમૂર્તિ પૂ. ભાઈશ્રી પ્રફુલ્લિત થતા અને અમ મુમુક્ષુઓનાં હૃદય નાચતા. ત્યારથી અમારા મંડળને એવો ભાવ રહેતો કે આ ભજનો પુસ્તકાકારે છપાવવામાં આવે તો ભેદજ્ઞાન પ્રેરિત ભજનો સકલ મુમુક્ષુ સમાજને ચિંતન, મંથન, અનુભવમાં દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યગદ્રષ્ટિ, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008225
Book TitleBhedgyan Bhavanjali
Original Sutra AuthorN/A
AuthorAmitaben Jain
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy