SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સિદ્ધ જે ગૃહસ્થ અવસ્થાનો ત્યાગ કરીને, મુનિધર્મ-સાધન વડે ચાર ઘાતિ કર્મોનો નાશ થતાં અનંત ચતુષ્ટય પ્રગટ કરીને કેટલાક સમય પછી અઘાતિ કર્મોનો નાશ થતાં, સમસ્ત અન્ય દ્રવ્યોનો સંબંધ છૂટી જતાં પૂર્ણ મુક્ત થઈ ગયા છે; લોકના અગ્ર ભાગમાં કિંચિત્ જૂન પુરુષકારે બિરાજમાન થઈ ગયા છે; સિધ્ધ પરમેષ્ઠી જેમને દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મનો અભાવ થવાથી સમસ્ત આત્મિક ગુણ પ્રગટ થઈ ગયા છે; તે સિદ્ધ છે. તેમને આઠ ગુણ મુખ્યપણે કહેવાય છે. સમકિત દર્શન જ્ઞાન, અગુરુલઘુ અવગાહના સૂક્ષ્મ વીરજવાન, નિરાબાધ ગુણ સિદ્ધકે. ૧. ક્ષાયિક સમ્યકત્વ ૨. અનંતદર્શન ૩. અનંતજ્ઞાન ૪. અગુરુલઘુત્વ ૫. અવગાહનત્વ ૬. સૂક્ષ્મત્વ ૭. અનંતવીર્ય ૮. અવ્યાબાધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓનું સામાન્ય સ્વરૂપ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સામાન્યપણે સાધુઓમાં આવી જાય છે. જે વિરાગી બનીને, સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરી, શુદ્ધોપયોગ મુનિધર્મ અંગીકાર કરીને, અંતરંગમાં શુદ્ધોપયોગ દ્વારા પોતાને પોતારૂપ અનુભવે છે; પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી, જેમને કદાચિત મંદ રાગના ઉદયે શુભોપયોગ પણ થાય છે પરંતુ તેને પણ હેય(છોડવા લાયક) એમ માને છે, તીવ્ર કષાયનો અભાવ હોવાથી અશુભોપયોગનું તો અસ્તિત્વ જ હોતું નથી – એવા મુનિરાજ જ સાચા સાધુ છે. ૧) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008223
Book TitleBalbodh Pathmalal 3
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1985
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size540 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy